________________
આનંદઘન પદ - ૩
સુખને માને અસાર તે છઠું સુખ” જે સ્વમાંથી નિપજતું સ્વને સ્વાધીન સ્વનું સાચું સ્થાયી સુખ છે, જ્યારે વ્યવહારડાહ્માના વખાણેલાં સુખ તો આવવા જવાના સ્વભાવવાળા અસ્થાયી (વિનાશી) પર અને પરાધીન છે.
ચેતન પોતે જો ડાહ્યો થઈને પળે પળે પોતાને ચેતવશે નહિ તો આભાસી સુખને સુખ માની તેને લેવા જતાં ચેતનતા હણાશે - પરમાત્મા દુભાશે - કચડાશે - દબાશે પછી નરકાદિ ગતિઓમાં પરમાત્માને પ્રગટાવવાનો અવસર નહિ મળે.
દેહમાં રહેલા પરમાત્માને પ્રગટાવવાનો દ્રઢ સંકલ્પ એ સિદ્ધિનું પાવરહાઉસ છે. તે દઢસંકલ્પ માટેનું ક્ષેત્ર માનવદેહ છે અને સમય વર્તમાન કાળ છે. યોગીરાજના હિતકારી ટંકશાળી વચનો માતાના ધાવણની જેમ બાલક જેવા. આપણે માટે અત્યંત સુપાચ્ય છે. તેને બહુ ગંભીરતાપૂર્વક ઊંડાણથી વારંવાર વિચારવા જેવા છે. તેમ કરતા જીવને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી જયાં
જ્યાં રાગ કરી સુખ માનતો હતો, જ્યાં જયાં અવલંબન - આધાર માનતો હતો, ત્યાં ત્યાં દરેક જગ્યાએ જીવ છેતરાયો છે, લૂંટાયો છે, બળાત્કાર પામી દોરવાયો. છે. પરાધીનતાવશ ગુલામ જેવી બદતર દશામાં હતો તેનું ભાન થાય છે. પોતે કષાયો - વૃત્તિઓ - કલ્પનાઓ - તરંગોથી કાયમ દબાયેલો નિર્બળ - નિરાધાર - દયામણો - ફસાયેલો છે, તેનો ખ્યાલ આવે છે. તૃષ્ણાથી પીડાતા અહંકારથી આંધળો જેટલું દળે તેટલું કષાયરૂપી પાડાએ ચરી જતાં લાગે અને લટકામાં પોતાના ભાગે તો ખોટો શ્રમ, મજૂરી અને તેમાંથી ઉપજતા આર્ત-રીદ્રધ્યાન વગેરેજ આવે છે.
યોગીરાજના વચનોથી મમતાની ભયંકરતા સમજાતા અંદરથી મિથ્યાત્વની પહાડ જેવી ગ્રંથીમાં એક તિરાડ પડે છે અને તે જ ક્ષણે આત્મા મહાત્મા બને છે. પછી ભલેને વેશ ગૃહસ્થનો કેમ ન હોય ! જેવો આત્મા જ્ઞાનીએ જ્ઞાનમાં જોયો છે, અનુભવ્યો છે, એની પ્રતીતિ તેને વર્તવા માંડે છે. પ્રગર્લ્ડ ર્શન કરવા માટે આ અવસ્થા અરૂણોધ્ય સમાન છે. વિષયોરૂપી વિષ અહિંયા ઓકાવાની શરૂઆત થાય છે, કર્તાભાવ ખરવા માંડે છે. આશાનું
ભગવાનનું શાસન મળ્યા પછી દુઃખી થવું અશક્ય છે.