________________
આનંદઘન પદ - ૫
૧૯
પદ - ૫
(રાગ - આશાવરી) अवधू नटनागरकी बाजी, जाणे न बामण काजी. अवधू. | . थिरता एक समयमें ठाने, उपजे विणसे तबही ॥ उलट पलट ध्रुव सत्ता राखे, या हम सुनी न कबही. अवधू. ॥१॥ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे ॥ जलतरंग घटघाटी रविकर, अगनित ताहि समावे. अवधू. ॥२॥ है नांही है वचन अगोचर, नयप्रमाण सत्तभंगी ॥ निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी. अवधू. ॥३॥ सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे ॥ आनन्दघनप्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधू. ||४|| અવધૂ નટનાગરકી બાજી, જાણે ન બામણ કાજી. અવધૂ.
થિરતા એક સમયમેં કાને, ઉપજે વિણસે તબહી. ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હમ સૂની ન કબહી. અવધૂ..
હે અવળાને ધૂતી નાખનાર, વધુ નહિ પણ અગુરુલઘુ, અવધૂતદશાને સાધનાર અવધૂત યોગીપુરૂષ! આ સંસાર એ તો નાટકમંડળીની સાથે ગામેગામા ભટકીને પોતાનું નાટક ભજવનારા નટનાગરની બાજી એટલે કે રમત જેવો છે. ન તો હિન્દુઓના ગુરૂ બ્રાહ્મણો કે ન તો મુસલમાનના ગુરૂ કાજીઓ એને યથાર્થ રીતે જાણી શકયા છે. અથવા તો બીજી રીતે વિચારીએ તો બ્રહ્મની આણમાં વર્તનાર બ્રાહ્મણ એવો આત્મા એની કાજી જેવી કુડી કુબડી કાયાની જાત સાથે ભળી જવાથી, વટલાઈ જવાથી જાણતો નથી કે આ બહાર જે કાંઈ દેખાઈ, જણાઈ રહ્યું છે તે મન કાયાની માયાનું માત્ર નાટક કે રમત છે.
તન, મન અસ્થિર છે, ચંચળ છે. ઘડીકમાં અહીં તો ઘડીકમાં તહીં એમ
આત્માથી ચડિયાતો કોણ ?