________________
S
આનંદઘન પદ
ઘડિયાળની શિખામણ
(રાગ : આશાભર્યા તે અમે આવીયા જિણંદજી !)
વાગે ઘડિયાળની ઘંટડી, એ તો શિખામણ દેતી જાય રે. ઘંટડી વાગે છે. એક વાગે તે એવું બતાવે, એકલો આવ્યો સંસાર એક દિવસ એવો આવશે રે, એકલો પાછો જનાર.
બે વાગે તે એવું બતાવે, બે વસ્તુને છોડ રે
રાગ ને દ્વેષના બંધન વળગ્યાં, તેને તું તો છોડ રે. ત્રણ વાગે તે એવું બતાવે, ત્રણ વસ્તુ તે સારી રે
જ્ઞાન, દર્શન, ચારિત્ર લઈને, પામો પદ શ્રીકાર રે. ચાર વાગે તે એવું બતાવે, ચેતન ભમે ગતિ ચાર
ચાર શરણને ચિત્ત ધરીને, પામો પદ અણ્ણાહાર. પાંચ વાગે તે એવું બતાવે, પંચ મહાવ્રત ધાર
પંચમ જ્ઞાનને પામવા તું, રહે સદા તૈયાર. છ વાગે તે એવું બતાવે, છ કાય કૂટા જાણ
ખટ્ દર્શનને જાણી તું લે જે, નહિ તો થાશે બૂરા હાલ. સાત વાગે તે એવું બતાવે, સાત ભય સંહાર
સાત નયનું જ્ઞાન કરીને, સકળ દુ:ખ નિવાર. આઠ વાગે તે એવું બતાવે, આઠ મદોને ત્યાગ રે
અષ્ટસિદ્ધિને પ્રગટ કરીને, મુક્તિના સુખને જાણ રે. નવ વાગે તે એવું બતાવે, નવપદનો નવકાર રે
શ્રીપાળ મયણા જેને આરાધી, પામ્યા ભવનો પાર. એકડે મીંડે દશ બતાવે, બે વસ્તુને ધ્યાન રે
એકડા વિનાના મીંડા નકામા, તેમ ક્રિયા, વિણ જ્ઞાન રે. અગિયાર વાગે તે એવું બતાવે, અંગભણો અગિયાર
અગિયાર પડિમા વહન કરીને, કર આતમ ઉધ્ધાર.
બાર વાગે તે એવું બતાવે, ઉચ્ચરો અણુવ્રત બાર
‘રસિક’ જીવન નહિ ફરી ફરી આવે, અવસરે સંયમ ધાર.
✰✰✰
આત્મા પ્રકૃતિ છે. કર્મ (સંસાર) વિકૃતિ છે.
-
ઘંટડી...૧.
ઘંટડી...૨.
ઘંટડી...૩.
ઘંટડી...૪.
ઘંટડી...પ.
ઘંટડી.....
ઘંટડી...૭.
ઘંટડી...૮.
ઘંટડી...૯.
૧
ઘંટડી...૧૦.
ઘંટડી...૧૧.
ઘંટડી...૧૨.