________________
--
ષોડશક પ્રકરણ દશન
તેમ કમની પ્રકૃતિઓમાં જ્ઞાનાવરણીયને અંગે કેઈને મતિજ્ઞાનાવરણીય તીવ્ર હેય અને શ્રુતજ્ઞાનાવરણીય મંદ હોય, ત્યારે કોઈને મતિજ્ઞાનાવરણીય મંદ અને શ્રુતજ્ઞાનાવરણીય તીવ્ર હેય. આવી રીતે દરેક કર્મમાં સમજવું. કેટલાક મતિજ્ઞાનની તીવ્રતાવાળા હોય તે તેઓ શ્રુતજ્ઞાનની મંદતાવાળા હેય. કેટલાક શ્રુતજ્ઞાનની તીવ્રતાવાળા હોય તે તેઓ મતિજ્ઞાનની મંદતાવાળા હોય. કેટલાક કોધાદિની મંદતાવાળાં હોય ત્યારે કેટલાક કોધાદિની તીવ્રતાવાળા હોય. કેટલાક ભેગોતરાયાદિવાળા હોય. આ બધું કર્મના પ્રભાવે છે. તેમાં કર્મ સિવાય બીજું કારણ નથી.
જીવ સંબંધી જેનેનું મંતવ્ય જૈનેતરમાં “જીવ' શબ્દ માનીને ચાલ્યા કર્યું છે, પણ જીવના સ્વરૂપમાં ધબડકે છે. તેઓ જે જીવનું સ્વરૂપ માનવા જાય તે આઠ કર્મ માનવાં પડે. જૈન સિવાય કે ઈ મતવાળાએ આઠ કર્મ માન્ય નથી.
જીવને જ્ઞાનસ્વરૂપવાળો માન્ય હોય તે તે જૈનેએ. અન્ય મતમાં જીવ તે જ્ઞાનને દાબડે. તેમાં ફરક શ? હીરામાં જે તેજનું સ્વરૂપ છે તે જુદું નથી. દાબડામાં મૂકીએ તે ઘરેણું અને અંદર તે ઘરેણું ન મૂકીએ તે ખાલી હોય. તેમ અહીં બીજાએ આત્માને “જ્ઞાનને દાબડો માન્યું ત્યારે જેનેએ આત્માને જ્ઞાનસ્વરુપ માને. તેથી જ્યારે જ્ઞાનસ્વરૂપ છે, ત્યારે સર્વજ્ઞસ્વરૂપ માનવો પડે છે. પરિણામ સર્વજ્ઞપણું આવવાનું છતાં સંપૂર્ણ કેમ થતું નથી ? જ્ઞાનને રોકનારા કર્મો છે તેથી તે સંપૂર્ણ થતું નથી.
કમ કોને માનવાં પડે? જેઓ આત્માને જ્ઞાનસ્વરૂપ અને દર્શનસ્વરૂપ માને તેઓ જ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ માની શકે. જેઓ જીવને શુદ્ધ માન્યતાવાળ માને, તેને જ દર્શનમોહનીય કર્મ માનવાને, વીતરાગાપણાવાળો માને તેને જ કષાય-ચારિત્રમેહનીય કર્મ માનવાને તેમજ દાન, લાભ, ભેગ, ઉપલેગ અને વીર્યવાળો માને તેને જ અંતરાય કર્મ માનવાને વખત છે. પણ જેને આત્મામાં જ્ઞાન, દર્શન, વીતરાગપણું, દાન, લાભ કંઈ નથી આવેલું એવું માનવું છે તેને ઉપર કહેલાં કર્મો માનવાને વખત જ નહિ.
થો વોલ્ટર વાળી (ઉત્તo 10 ર૮, ૦ ૨૦)