________________
૨૪૦
ષોડશક પ્રકરણ દર્શન લીધું એમ કેમ બોલે છે? સીધું કહો કે “સાધુપણું લીધું એમ નહિ કહેતાં “ગૃહસ્થપણાનું રાજીનામું આપીને સાધુપણું લીધું.” એમ કહે છે. આવી રીતે તીર્થકરના જીવેને પણ રાજીનામું અઢારે પાપસ્થાનકનું આપવું પડે છે. આ વાત કુદરતે પણ સ્વીકારી છે.
જેમ મહાવીર મહારાજ પૂજ્ય રાજકુમાર છે. દેવદેવેન્દ્રોથી પૂજાયેલા છે. જેની સેવામાં જન્મથી ચંપ્રદ્યોત, ઉદાયન, શ્રેણિક આદિ રાજાઓ હાજર છે. તે રાજકુમાર એ પ્રતિજ્ઞા લે કે-“મારા નિમિત્તે કરેલ ખોરાક મારે નહિ આવે. અરે! એફકે દિન સ્નાન નહિ કરવું. અરે ! બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પાળવી. તેમ સચિત્ત પાણી પીવું નહિ એટલું જ નહિ પણ વાપરવું કે સ્પર્શ પણ ન કરે.” આવી અડગ પ્રતિજ્ઞાઓ જેમણે બે વર્ષ સુધી સતતપણે પાળી છે, છતાં કુદરત ના કબૂલ કરે છે, કારણ કે મન:પર્યવ જ્ઞાન તેમને થયું નથી. જે કુદરતને તે ત્યાગ કબૂલ હોત, તે સાધુપણું કબૂલ હેત તે મન:પર્યવ જ્ઞાન થાત. અરે ! શાસ્ત્રકારે પણ ગૃહસ્થપર્યાયના ૨૮ વર્ષ નહિ માનતા, ત્રીસ વર્ષ માન્યાં, કારણ કે સંસારમાંથી રાજીનામું પેશ થયું નથી. શાસ્ત્રકાર ત્યાગી ત્યારે જ માને કે અઢારે પાપસ્થાનકની ટેળીમાંથી રાજીનામું પેશ કરે તે જ.
હવે કેટલાક કહે છે કે-ઘરે ત્યાગધર્મ શું નથી થતું?
અરે ! કુદરત પણ ઘરના ત્યાગને ત્યાગ માનતી નથી. ખુદ તીર્થકર મહારાજે ઘરે ત્યાગ કરેલ હોવા છતાં કુદરત કબૂલાત રાખતી નથી. અરે ! રાજીનામા વિના લેખું ન ગણાયું, હવે શાસ્ત્રકારે પણ રાજીનામા વિના ત્યાગને લેખે ગણતા નથી. તેથી જ ગૃહસ્થ પર્યાય અઠ્ઠાવીસ ન માનતાં ત્રીસ જ માન્ય.
પૂજ્ય રાજકુંવરની અવસ્થામાં ત્યાગધર્મને સ્વીકાય, છતાં ગૃહસ્થપર્યાય ત્રીસ વર્ષને ગણે અને તેથી જ “શાળા સળગારિસંs) એમ લખ્યું અને કહયું. પુણ્ય-પાપ આખી દુનિયા માને છે. હવે