________________
૩૧૮
ષોડશક પ્રકરણ દર્શન આ ઉપરથી તપસ્યાના જે કાશત્રુઓ છે તે બોલે છે કે તપસ્યા પેટને બાળવાનું સાધન છે ! હવે બહારના ચેરથી બચવું સહેલું પણ ઘરના દુશ્મનથી બચવું કઠિન છે, કારણ કે બહારના તે તમને લાંઘણ કહીને રહે, પણ ઘરવાળા તે કહે કે “કર્મનું બાંધવું તે પરિણામ ઉપર આધાર છે. પછી તમે ઉપવાસ કરીને ખાવા-પીવાની ઈચ્છા કરી તેના કરતાં ઉપવાસ ન કરે સારો. એક માણસે ખાવા -પીવાની ઈચ્છા ન કરી અને ઉપવાસ કર્યો તેને પુણ્ય થયું.” આવા વિચારેથી તપસ્યાનું નિકંદન કાઢે છે. વળી મને કેઈએ ખાતાં રે નહેાતે પણ મારા મનથી જ ખાધા વિના રહ્યો છું તેથી ઉપવાસ છે અને તેથી ભૂખને વિચાર હતું તેને માર્યો તેણે એ કહે ને? પાણિયારું કે દાભડે તૈયાર હતું. તેની આગળ કેદની ચોકી પણ નહતી. એટલે ઈચછા થતાં ખાઈ શકતે હતું, છતાં ન ખાધું તેનું કારણ શું ? કહે કે મનથી બંધ કરી મનથી પાળવું છે ને? તે એક બાજુ ભૂખ લાગે છે છતાં બીજી બાજુ “મારે ઉપવાસ છે એવું કહેવું તે કેટલું બધું સારું છે?
અહીં જે ભૂખને તેડવાની વાત કરે છે તે તપસ્યાને તેડવાના ઈરાદાવાળા છે. અહીં તપસ્યાના વિચારે ભૂખને ટાળી દીધી. તપ કરવા પહેલાં ભૂખને જાણતું હતું, તેથી આવી પડેલી ભૂખને દબાવી છે. તે અણસમજથી તેમ નથી કરતે, અને તેથી તેના તપ દ્વારા કર્મની નિર્જ થશે. તપની બુદ્ધિથી તપ કરે તે સકામ નિર્જરા હેિવાથી “રવ” કહેતાં પોતાના કર્મને ક્ષય કરે છે.
બળદ (ધાસ-પાણી)ની આશામાં છે છતાં તે કંઈ મેળવી શકતે. નથી, અને ભૂખ-તરસની પીડા વેઠી તે માત્રથી તે દેવ થયે. વગર ઈચ્છાએ કે વિરુદ્ધ ઈચ્છાએ ભૂખ અને તરસનું દુઃખ વેઠયું. તેનાથી પણ આવી કર્મની નિર્જરા થાય અને દેવકપણાનું ફળ પામે તે પછી ઈચ્છાએ કરેલી તપસ્યા અને તેથી જે સકામ નિજ, તેનું ફળ આત્મકલ્યાણરૂપ સર્વ કર્મને ક્ષય કેમ ન થાય?