Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 473
________________ કાર ષોડશક પ્રકરણ દર્શન થયેલા એ ભાગીદાર આત્માઓ એ શરીરને છોડે અર્થાત્ મૃત્યુ પામે ત્યારે તારે પણ તે શરીરને ત્યાગ કરવો પડે એટલે કે મરવું જ પડે. આટલી પરાધીનતા છતાં પણ એ શરી ચર્મચક્ષુથી જોઈ પણ શકાય નહિ એટલી સૂક્ષ્મતાવાળું. આ શું જેવી તેવી પરાધીનતા ગણાય? પ્રશ્ન –જેણે શાસ્ત્રકાર મહારાજા સૂક્ષ્મ નિગેદના નામથી સંબંધે છે. સૂક્ષ્મનિગોદમાં એકી સાથે ઉત્પન્ન થયેલા અનંત આત્માઓ શું એકી સાથે જ મરણ પામે? ઉત્તર-સૂક્ષ્મ નિગદરૂપ તે શરીરમાં જે જે જે વખતે એક સાથે ઉત્પન્ન થયેલા છે. એક સાથે ઉત્પન્ન થયેલા અનંત છે પિકી એના મૃત્યુમાં અનન્તનું મૃત્યુ થાય તે બરાબર છે, પરંતુ સાથે સાથે એટલે ખ્યાલ રાખવાની જરૂર છે કે એ સૂમ નિગોદમાં અમુક અમુક વખતે અમુક અનંત જીવ ઉત્પન્ન થયા બાદ જ્યાં સુધી તે જ મૃત્યુ ન પામે ત્યાં સુધી બીજા છ ઉત્પન્ન ન થાય તેમ સમજવાનું નથી, પરંતુ તે એક જ વિવક્ષિત નિગોદમાં પ્રતિસમય અનંત અનંત ની ઉત્પત્તિ અને અનંત અનંત જીવેનું વન મરણ ચાલુ જ હોય છે, અર્થાત્ એક નિગેદરૂપ શરીરમાં જે અનંતાનંત જીવે છે તેમાંને અનંત જીવમય એક અસંખ્યાતમે ભાગ પ્રતિસમય મરણ પામે છે, અને તે સ્થાને અનંત જીવમય બીજે અસંખ્યાતમે ભાગ ઉત્પન્ન થાય છે, અને તે પ્રતિસમય ઉત્પન્ન થતા અનંત છે તે શરીરના પુદ્ગલેને તેમાં રહેલા અન્ય અનંતાનંત જીની માફક ગ્રહણ કરીને પિતાના શરીરપણે પરિણાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–તે એક સૂક્ષ્મ નિગોદરૂપ શરીરમાં વિવક્ષિત સમયે જે અનંત છે ઉત્પન્ન થયા છે તે બધાય અનંત ની આહાર, શ્વાસોશ્વાસ, મરણાદિ ક્રિયા સાથે હોઈ શકે છે, પરંતુ આગળ પાછળના સમયમાં ઉત્પન્ન થયેલા-થનારા અનન્ત જેની આહારાદિ ક્રિયા વિવક્ષિત અનન્ત ની આહારાદિ ક્રિયા સાથે હેવાને સંભવ નથી.

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482