________________
ર૭, દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા
૨૬૫ અને દર્શનની સ્થિતિ પલટાઈ જાય. આઠ કર્મ સહિત થાય તે વખતે મેક્ષ નહિ પણ બીજે સમયે મેક્ષ થાય એમ માનવા જતાં આખા શાસનની પરિસ્થિતિ બદલાય.
હવે સમય જુદો લઈએ તે પછી કેવળજ્ઞાન કે દર્શનને લેવા ન પડે. અહીં તત્ત્વને વાંધા પડે તે તે બુધ પુરુષ ન જ માને, કારણ કે તત્ત્વને વાધ આવ્યું. અહીં લિંગ કે વર્તનને વધે નથી.
આવી રીતે દેવ, ગુરુ અને ધર્મ-એ ત્રણની લિંગ, વૃત્ત અને તત્વ દ્વારા તપાસ કરનાર બાળક, મધ્યમ અને બુધ હોય છે. આમ છતાં હરિભદ્રસૂરિજી એકલા ગુરુત્વને અંગે લિંગ, વૃત્ત અને તત્ત્વ છે એમ કેમ કહે છે ? એટલે સાધુને અંગે તે કેમ કહ્યાં? જે હવે એકલા સાધુને અંગે હોત તે “ધર્મજુરારિ ” એ પદ મૂકયું તે ન મૂકત, પણ સદ્દગુરુની પરીક્ષા કરનારા કરત. હવે પિતાને ઈષ્ટ ધમ અને ધર્મની પરીક્ષા આવી જાય અને તેની જ પ્રતિજ્ઞા કરેલી છે, છતાં ગુરુ માટે ત્રણ કહ્યાં તેનું કારણું છે. જગતમાં ગુરુને આધારે જ દેવ કે ધર્મ છે.
તમો એ જિનેશ્વરને દેવ શાથી માનવા લાગ્યા?
કહો કે તમને ગુરુએ શીખવ્યું તેથી. કદાચ શૈવ કે વૈષ્ણવને માનતા હતા તે તે ગુરુઓ મહાદેવને દેવ તરીકે મનાવત. દેવ અને ધર્મ એ બેલનારી ચીજો નથી, દેવ બેલનારા હોય પણ તેમની હયાતીમાં એ પોતાના ક્ષેત્રોમાં બેલે. પછી તે ગુરુઓ જ કહે અને તેથી અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુદરસૂરિજીએ કહ્યું-સવ તને લાવનાર ગુરુમહારાજ છે અને તેથી લિંગ, વૃત્ત અને તત્ત્વપરીક્ષા ગુરુ દ્વારા જ છે. તેના આધારે દેવ અને ધર્મ સમજાશે. તેમાં બાળકાદિ ગુરુ તત્વની પરીક્ષા શી રીતે કરે ? તે અધિકાર અગે જણાવશે.