________________
૧૧૪
ષોડશક પ્રકરણ દર્શન ખરાં પણ તે સૂકી ભીંત ઉપર નાખેલી કાંકરી જેવાં બંધાય છે. જેમ તે કાંકરીની મુઠી ભીંત ઉપર નાંખી તે જેમ એક મિનિટ પણ ભીંતને ચુંટતી નથી તેમ કષાય, પ્રમાદ, ઈન્દ્રિયેથી કર્મ ન ભરાય. પછી ભલે મનથી, વચનથી, કાયાથી વિચારે, ઉચ્ચારે, પ્રવૃત્તિ થાય પણ તેથી જે કર્મ આવ્યાં તે ચાલ્યાં જવાનાં, તેથી કર્મને ટકવાનું સ્થાન નથી. કર્મને કષાય અને ઈન્દ્રિયે રસ્તા બતાવે છે.
ઈન્દ્રની આસક્તિ અને કષાયને વેગ તે વગરના પરિણામ હોય તે કર્મબંધ થતો નથી. આંખ મીંચીને ઊઘાડીએ તેટલામાં અસંખ્યાતા સમય વીતી જાય. એ ઉચ્ચારણને અસંખ્યાતમે ભાગ તે કેટલે બારીક? તેમાં બંધાયાં, ભેગવ્યાં અને ત્યાં. કેવાં? જેમાં કષાય અને ઇન્દ્રિયની પરિણતિ ન હોય અને આચાર, વિચાર, ઉચ્ચાર પ્રવર્તતા હોય તેવાં.
હિંસા પાપનું સ્થાનક છે, પાપ નહિ, આ વાત વિચારશે તે તમે સમજી શકશો. પહેલા પાપસ્થાનકનાં પ્રાણાતિપાતનું સ્થાન. તમે અઢાર પાપસ્થાનક કેમ બેલે છે? પાપ બેલેને? તે માટે કહે છે કે ઈન્દ્રિય અને કષાય મળે તે હિંસાથી પાપ થાય તે ન મળે તે આપોઆપ પાપ રોકાય. એક માણસ સવારે સામાયિક કરવા બેઠે છે તે વખતે કઈ આચાર્ય મહારાજ આવે છે. તે વખતે એક માણસ કહે કે મારે સામાયિક છે, માટે હું સામે જતો નથી, પણ જેને સામાયિક નથી થતું તે સામે જાય છે. તે તે બેમાં આરાધક કેણ? તેમજ મહાફળ કેને મળે? “મા તમારૂ ના? ત્યારે કહે છે કે સામા જનારના ફળને પાર નહિ, તે તે ક્યાંથી આવ્યું?
પૂજે તેટલી ક્રિયા થઈ. તેમાં તે તમે શામાં વધશે? પડિલેહણ કરશે કે નહિ? શા માટે કરશે ? ત્રસની જયણ અને સ્થાવરની
યણ થાય પણ તેની વિરાધના ન થાય તે બુદ્ધિથી પડિલેહણ કરવાનું. પાત્ર પડિલેહણ તે નિર્જરાનું કારણ છે. આંખ મીંચીને ઊઘાડે તેટલામાં કાયિક, વાચિક ને માનસિક એ ત્રણ ક્રિયા લાગી કે નહિ? પૂજણીમાં