________________
વચનની આરાધના
MિBBS BDS SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSËઆઝા
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારભરમાં સર્વ આસ્તિક વર્ગને સર્વ આર્ય વર્ગ ધર્મની ચાહનાવાળા છે. કેઈ પણ જીવનને “મહેલ” બનાવાવાળે મનુષ્ય ધર્મને માન્યા વગર રહે નહિ, પણ જેને જીવન જેલરૂપ બનાવવું છે તે ધર્મને ન માને. કેમ? કેદીની દષ્ટિ મકાનની આગળપાછળ ન જાય, કારણ કે તે કેદખાનું છે. જેઓએ આ જીવનની બહાર દષ્ટિ ફેરવી નથી તેમને તે ઉત્તર પૂર્વ વગેરે ભામાં ફરવાનું ક્યાંથી હોય? કેમ? તો પહેલાં આ જીવન સાથી મળ્યું ? આનું ફળ શું? તે જેને વિચાર્યું નથી એટલે કે મનુષ્યો ગયા જીવન ઉપર વિચાર કરતા નથી. ગયા જીવનમાં જેણે દૃષ્ટિ ફેરવી નથી, જેની જતી નથી, જેણે આવતા જીવન ઉપર દષ્ટિ ફેરવી નથી, જેની જતી નથી. તે આ ભવને જ દેખે છે. માટે આ ભવની કેટડીમાં દેખનારે તે કેદી. આ ભવની કોટડીમાં તે જાનવરે પણ દેખે છે, જાનવરે પિતાનાં સુખ, સ્થાન, શરીર અને સંતાનનું રક્ષણ કરે છે.
મનુષ્યપણુના વિશેષતા આ જન્મને અંગે જાનવ, પશુ, પંખી બધાં પણ વિચાર ધરાવનારા હોય છે તો પછી મનુષ્યપણામાં અધિકતા શી ? દુનિયાદારીની દષ્ટિએ શાસ્ત્રકાર ગર્ભજ મનુષ્યમાત્રને વિચારવાળા ગણે છે. પણ તે કેની દષ્ટિએ ? જગતને વ્યવહારની, પણ તત્વષ્ટિએ નહિ. તત્ત્વદષ્ટિએ ગર્ભજ મનુષ્ય, દેવતા, નારકી કે ગર્ભજ તિર્યંચને વિચારવાળા ગણવા તૈયાર નથી. એકે એક