________________
૧૨૮
ષોડશક પ્રકરણ દર્શન જેવું કરે છે. તમે આગળ કહી આવ્યા કે બાહ્ય ચારિત્ર આચરવું અને તેને કહેવું “ધર્મ કરીકે. તેમજ અષ્ટ પ્રવચનમાતાને ધર્મ તરીકે કહીં આવ્યા. બાહ્ય તપસ્યા, વિહાર વગેરે સાધુના આચારને કહી ગયા. અત્યારે વચનની આરાધના એ “ધમ કહ્યો. આ વચનનું ઠેકાણું શું? વાત ખરી બાહા ચારિત્ર, આઠ માતાઓ કહી તેમ વચનની આરાધનાને “ધર્મ શા માટે કહે છે! ચૂલે આંધણ મૂક્યું ચોખા ચડાવ્યા અને એ તરત થાળીમાં પીરસાય અને તેમાં ઉતાવળ કરે તે શું ગણાય ! કાચા પચે, રાંધેલા પચે પણ અધકચર દુઃખે તેમ તું પ્રશ્નમાં આવ્યું. તે બાહ્ય ક્રિયા કેની કહેલી બતાવી? શાસ્ત્રની કે પ્રવચન–માતાની ? ત્યારે કહે કે શાસ્ત્રની. કેમ? શાસ્ત્રની વિરુદ્ધ બાહ્ય આચરણ નહિ. અષ્ટ પ્રવચનમાતા શાસ્ત્રથી, પણ તેની વિરુદ્ધ નહિ.
બાહ્ય ચારિત્રની–અષ્ટ પ્રવચનમાતાની દેશના તે આગમની, પણ તે વચનના આધારે. બાળ બુદ્ધિને દેખવા માટે બાહ્ય વર્તન કહેવું તે પણ આગમમાં કહેલું, મધમબુદ્ધિને પ્રવચનમાતા કહેવી તે આગમમાં કહેલી છે. માટે શ્રોતાને અંગે દેખવું બાહ્ય ચિહ્ન બાળબુદ્ધિવાળાને વિચાર કરે અને વર્તન દેખવું તે મધ્યમ બુદ્ધિવાળાને; અને તત્ત્વની પંડિત બુદ્ધિવાળાને પરીક્ષા કરવી, તેને બાહ્ય વર્તન શાસ્ત્રના આધારે કહેવાં પડે. આગળ વધતા એવા તે તત્વ પરીક્ષાવાળાને જીવાદિ તત્ત્વ શાસ્ત્રના આધારે કહેવાં જોઈએ.
વચનની આરાધનાએ ધર્મ તે તમામ જૈનેતરે આરાધના કરનારા જ છે. તમે જેમ વચનની આરાધના કહે છે તેમ અતિ,
સ્મૃતિ વગેરેમાં કહેલાને અન્ય ધર્મ કહે છે. ભગવાનના મહત્વના અંગે ધર્મ તેમ જિન શાસમાં ભગવાનનું, ગુરુનું કે ધર્મનું સ્વતંત્ર મહત્ત્વ નથી, પણ વચનના આધારે તે છે. તત્વવાદવાળું વચન હોય તે પરમેશ્વર માનીએ. તેમને કેવળજ્ઞાનને દેખતા નથી, પણ તેમના પદાર્થના નિરૂપણથી જણાય છે માટે કેવળજ્ઞાન મેળવવા માટે મોહનીયને ક્ષય અને કેવળજ્ઞાનાવરણીય તેડવાનું માનવું પડે તે વચનને અંગે છે.