________________
૧૭. વચનની વિશિષ્ટતા
૧૫૩ ભવિષ્યના પદાર્થોમાં અનુમાન નહિ. જેમ ચોવીશીમાં વીસ થયા. આવતી ચોવીશીમાં પદ્મનાભાદિ થશે તેનું અનુમાન કર્યું ? માટે જ આગમ માનવા ને? મદ્દકે કહ્યું કે ભાઈ, દરિયે છે. તેની બીજી આજુ દેશ છે કે પાણી ! જે પાણી છે કે દેશ છે તેમ કહે તો તે પૂછે કે તમે ત્યાં જઈ આવેલા છે? તે ના. તે પછી તમે શાથી કહે છે? જઈ આવેલાએ, ભરોસાવાળાએ કહ્યું તેથી તમે માનો છો ને? જે દૂર રહેલી ચીજ વસ્તુ વગેરે, દેશ, કાળ સ્વભાવ વગેરે ન દેખીએ, છતાં માનીએ. તે પણ પ્રામાણિક પુરુષના વચનથી માની શકીએ. અહીં આગળ સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા સિવાય પ્રામાણિક સાધન કયું ? મેગરાની ગંધ, દરિયાપારના દેશે કબૂલ કર્યા તે અનુમાન અને આખ્ત વચનથી. તેમ હું પણ અનુમાન અને આખ્ત વચનથી માની શકું, પણ મારી આંખે નથી દેખી શકતે. આમ કહીને તે ભગવાન પાસે ગયે.
મદુક અને ભગવાન “હે મદ્દુક! તે સારું કર્યું. તે વખતે તે એમ કહ્યું હતું કે હું દેખું છું ત્યારે તે કહેત કે તું મને દેખાડ. ત્યારે તું કહેત કે ગાંડે છે, સ્વપ્ન છે તે જુએ? સુખ તું વેદે છે કે નહિ? તેનું વેદન બીજાને દેખાડે છે ખરો? રવનું ચીજ એવી કે તે પિતાને દેખાય પણ બીજાને દેખાડાય નહિ. માટે હું શ્રદ્ધાવાળે છું તેથી દેખાય છે. તેમ તું કહી શકે પણ તે ઉત્તર દેવાનું સ્થાન ન હોવું જોઈએ.”
જે ઉપર કહ્યું તેમ બોલ્યા હતા તે તું તીર્થકર, ગણધર અને કેવળીઓને વિરાધક થાત. કેમ? તે કેવળીઓ શું કહે છટ્વસ્થ જીવ અરૂપી પદાર્થોને જોઈ શકે નહિ. જે મનુષ્ય સૂવ વિરુદ્ધ બોલે તે મનુષ્ય સૂત્રને અનુસરનાર છતાં ઉન્માગી મનાય. આંધળે હોય તેને એમ કહીએ કે હું તને આંધળે કયાં કહું છું? એમ કહેવાથી આંધળે કહી દીધું. અહીંયાં હું બીજાને ઉન્માગ નથી