________________
૬. અધિકાર અને અધિકારી એ રિષભકૂટ પર્વત ઉપર નામ લખવા જાય અને ત્યાં નામે લખેલાં વાંચે અને પિતાનું નામ લખવાની જગ્યા ન મળે તે વખતે મદ એ છે. થાય. ચક્રવતીને મદ ઓછો થવામાં એક જ કારણ ભૂતકાળના નામોના દર્શનથી મદનું ભૂત ભાગી જાય. આ જે અખંડ શાસનવાળ, ચૌદ રત્નને માલિક. નવ નિધાનને સ્વામી. તેને કહેવું કે “તું હાર્યો,” તે કેટલું ભયંકર ! વળી કહેવાનું કયાં ને ક્યારે? તે સિંહાસન ઉપર રાજસભામાં બેઠા હોય ત્યારે “તમે હાર્યા તે કહેવું કેટલું ભયંકર ગણાય?
ટપાલી ખરાબ વસ્તુને કાગળ આપે પણ કાળી લીટીવાળો આપે પણ વાંચો ત્યારે ખબર પડે. દુઃખદાયક સમાચાર સૂચનાથી ધીમે ધીમે અપાય છે. દેવે પણ સગર ચકવતીને તેના પુત્રોને મરણના સમાચાર પતે બ્રાહ્મણને વેશ લઈ પિતાનું પુત્રનું મડદું બતાવીને પિતે શોક કરવા લાગે ત્યારે સાગર ચક્રવતી આશ્વાસન આપવા લાગે, તેમ કરતાં કરતાં તેના પુત્રોની ખબર ધીમે ધીમે અપાઈ. દુનિયાના દુઃખદાયી સમાચાર એકદમ અપાય તે ? આ ભરસભામાં આગળપાછળના કેઈ પણ મસાલા વગરની “તું હોય તે કહેવું કેટલું મુશ્કેલ? તે કેટલો આઘાત કરનારૂં વાક્ય? " છોકરા આગળ બાપ હારે છે. પણ છોકરા આગળ બાપ જીતતો નથી. સ્નેહ હરાવે તેથી હરાય તો તેમાં ભય નહિ. રાણીથી હારે છે તેને ભય નહિ. ત્યારે આ ભય વગરની હાર નથી. પણ ભયાનક ભયવાળી હાર છે. “વસે મજં આ વાક્ય ચક્રવતી સભા ભરીને બેઠે હોય તે વખતે સંભળાવાય તે કેટલું મુશ્કેલ? ત્યારે ભરત મહારાજે તે વાક્ય સંભળાવવા માટે લોકોને રાખ્યા છે. જે મનુષ્ય ચકવતીને ‘તું હાર્યો, તારા ઉપર ભય વધી રહ્યો છે, આવું કહેનાર તેના આત્માને આ બુદ્ધિમાં કઈ રીતે રાખે ! માટે સાધુ-સાધ્વી બનાવવાની ફેકટરી. ઊભી કરનાર ભરત મહારાજા હતા. તેમને પણ જ્યાં સુંદરીની દીક્ષાને પ્રસંગ આવે, ત્યાં “રહેવા દે, વિચારે.” એ વિચાર આવ્યું. આ ઉપરથી કહેવાનું તત્વ એ કે દૂધદહિયા ધર્મને સારો ગણે પણ સંસારને સાચવીને. તેઓ સંસારની આઝાદી અને આબાદી સાચવીને ધર્મની આઝાદી અને આબાદી કબૂલ કરે છે.