________________
શ્રમણભગવંતે-૨
૧૨૫ લેશે તે અનર્થ થઈ જશે. એટલે તેણે લાકડી ફટકારી ભેંશોને દૂર કરી, ત્યારે સંતના શબ્દો સંભળાયા : “હે વત્સ ! આ જીવ અબેલ કહેવાય. એને શા માટે પીડા કરે છે? કઈ પણ જીવને પીડા કરવી એ મહાપાપ છે. અહિંસા પરમ ધર્મ છેમહાત્માની વાણીમાં સત્ય, સંયમ અને અહિંસાને રણકાર હતા. તેની બહેચરના હૃદય પર ચમત્કારિક અસર થઈ તક્ષણે જ તેનું દિલ દ્રવી ઊઠયું. એના અંતરમાં પ્રકાશ ઝળાં ઝળાં થયે. તેના રમે રેમે ગીત ગુંજી રહ્યું : “જેના રમ રમથી ત્યાગ ને સંયમની વિલસે ધારા...ધન ધન એ જિન અણગારા...” આમ, તેમના પૂર્વભવના સુષુપ્ત સંસ્કાર જાગૃત થયા; બધાય ભ્રમ ભાંગી ગયા, કર્મનાં કાળાંધલ્મ જાળાંએ વિખેરાયાં; સત્ય ઝળહળી ઊઠયું; પ્રકાશના એક જ કિરણે આત્માના અનાદિ કાળનાં અંધારાને ઉલેચી નાખ્યાં. બહેચરને કેઈ આગમ-અગેચર પંથે પ્રયાણ કરવાના સંકેત સાંપડી ચૂક્યા !
એવામાં મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાત સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથને સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ–ભાવાર્થ–પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં
શ્રી યશોવિજયજી જેન–સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. ન ભૂતો ન ભવિષ્યતિ એવી શ્રી સર્વજ્ઞ જિનેશ્વરભગવંત ભાષિત પારમાર્થિક પદાર્થોનું અધ્યયન કરતાં કરતાં તે બહેચરનું મન શ્રદ્ધાથી નાચી ઊઠયું. સતત પરિશીલન, એકાગ્રતા, જ્ઞાનપિપાસા, સાધના અને સતત પુરુષાર્થથી તેણે ધાર્મિક અભ્યાસ પૂરો કર્યો. આ તેજસ્વી શક્તિ-સમજણને પારખીને સંસ્થાના સંચાલકોએ તેને ગામોગામ ચાલતી પાઠશાળાના પરીક્ષક તરીકે મોકલ્યા. પરંતુ એનાથી તેને પૂરતે સંતેષ ન થયો. તેનું મન તે આનાથી પણ ઊંચેરી પ્રત્રજ્યા માટે પ્રયાણ કરવા ઝંખતું હતું. અભ્યાસની તેજસ્વિતા એટલી હતી કે ધાર્મિક વાદવિવાદમાં બહેચરદાસને કેઈ પહોંચી શકતું નહીં. એક વાર એક પાદરી મેટી સભા વચ્ચે સ્વધર્મની મહત્તા અને પરધર્મનું ખંડન કરી રહ્યો હત; બહેચરદાસે આગળ આવીને જૈન ધર્મની મહત્તા સ્થાપીને સૌને દિમૂઢ કરી દીધા હતા અને પ્રત્યુત્તર આપવાને અસમર્થ પાદરી ગંજાવર સભા છેડી ચાલી ગયા હતા. સમકિતદાયક ગુરુતણો, પરચુવયાર ન થાય. સમકિતદાતા ગુરુદેવશ્રીના ઉપકારને બદલે કોટિ કોટિ ઉપાથી પણ વાળી શકાતું નથી. સચ્ચારિત્રચૂડામણિ પૂજ્ય પ્રવર શ્રી રવિસાગરજી મહારાજ મહેસાણા નગરમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરતા કરે છે. બહેચરભાઈને પૂજ્યવરની સેવા કરવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છે. પૂ. ગુરુદેવ કાળધર્મ પામવાથી બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનને લાભ મળે છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થાય છે. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ને શુભ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org