________________
શ્રમણભગવંત-રા
૨૭
દીક્ષા અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી. અને આજ્ઞા મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા (આણંદ) ગામે પૂઆ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે પ્રવજ્યા અંગીકાર કરી મેહનભાઈ
મુનિશ્રી ઈન્દ્રવિજયજી બન્યા. ત્યાર બાદ બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં એકાકાર બની ગયા. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૩ને દિવસે સુરતમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિપદવી પ્રદાન કરવામાં આવી. ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી બેડેલી ક્ષેત્રનાં ગામોમાં વયેવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જેન હતા, પણ વર્ષોથી કબીરપંથી બની ગયા હતા તેવા ૫૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયોને જેનધની બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા આપી. ઉપરાંત, આ પરમાર ક્ષત્રિયમાંથી ૮૦ જેટલા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી જેનશાસનને જયજયકાર વર્તાવ્યું. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય જૈનશાસનના ઇતિહાસમાં અદ્વિતીય ઘટના તરીકે લેખાશે.
- પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની પ્રતિષ્ઠા પ્રસ ગે સં. ૨૦૨૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨-૧૯૭૧ના શુભ દિવસે પૂ આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી આપવામાં આવી. ત્યાર બાદ સં. ૨૦૨૮માં પ્રશાંતમૂતિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ તરીકેને ભાર પૂ. આ. શ્રી વિજયઈન્દ્રજિન્નસૂરીશ્વરને સેં. પૂજ્યશ્રી શ્રમણભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂતિ આચાર્યભગવંત સાથે દિલ્હી પધાર્યા હતા અને ત્યાર બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કરીને સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રનાં શાસનકાર્યો કર્યા હતાં. પૂ. ગુરુદેવ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ સમુદાયની સર્વ જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પૂજ્યશ્રીનાં ચરણકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ પ્રદેશમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહોત્સવ, અંજનશલાકા–પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, યાત્રાસંઘે – એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય મધુર વ્યક્તિત્વ અનેકેને પ્રેરણાદાથી બની રહ્યું છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કેટ કેટિ વંદના !
શ્ર. ૩૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org