Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 709
________________ શ્રમણભગવંતો-૨ ૭૦૭ બંધ કરાવવા પ્રયત્ન કરતા હતા. તે માટે ગુજરાત હાઈકોર્ટમાં બે વાર રિટ દાખલ કરી, બે લાખથી વધુ સહીઓ મેળવી; ત્રણ સરકારે બદલાઈ છતાં પૂજ્યશ્રીનું આંદોલન ચાલુ રાખ્યું. અંતે સરકારે પૂજ્યશ્રીની વાતને સ્વીકાર કર્યો અને તા. ૧૬-૪-૧૯૯૧ના દિવસે દેડકાં ચીરવાની પ્રથા પર પ્રતિબંધ મૂક પરિપત્ર જાહેર કર્યો. પૂ. મુનિશ્રી નિરાલાજી મહારાજે આ અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે રાજ્યતંત્રના પ્રધાનો, ધારાસભ્ય, અધિકારીઓ, શિક્ષણસંસ્થાઓ, નગરના આગેવાનો સાથે સતત સંપર્ક સાધવાનું ચાલુ રાખ્યું. દેશ-વિદેશના નિષ્ણાત ડોકટરો અને રિસર્ચ સેન્ટરના અભિપ્રાય એકઠા કર્યા. અમેરિકા, ઇટાલી, આજેનિટના આદિ દેશોમાં દેડકાં ચીરવાની પ્રથા બંધ કરવામાં આવી હતી તેની ગવર્નમેન્ટના ઓર્ડર મંગાવ્યા અને ગુજરાત હાઇકોર્ટમાં રિટ નં. ૩૭૦૦/૧૯૮૯ દાખલ કરી. આખરી હિયરિંગ પછી માનનીય જજ શ્રી આર. એ. મહેતાએ રિટ દાખલ કરી ગુજરાત સરકાર પર નેટિસ કાઢી. અંતે ગુજરાત સરકારને પૂજ્યશ્રીની વાત કબૂલવી પડી અને પૂજ્યશ્રીની જીત થઈ આ રીતે લાખે જીવોને જીવતદાન મળ્યું પૂ. શ્રી નિરાલાજી મહારાજે જીવદયાક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ મેળવી છે, તેમ અન્ય ધર્મક્ષેત્રોમાં પણ અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમાં, પૂજ્યશ્રીએ એક કરોડ નવકારમંત્રનો જાપ કરાવવાને સંકલ્પ કર્યો છે. તેને પ્રારંભ થઈ ગયું છે. જે નવ લાખ નવકારમંત્રને સમૂહજાપના પ્રારંભ : * પ્રથમ : શામળાની પિળ જેનસંઘ– સં. ૨૦૪૮ના કારતક વદ ૬, જાપ આરાધકે : ૨૧૮, જાપ સંખ્યા ૧૧ લાખ. * દ્વિતીય : શ્રી વીરવિજય ઉપાશ્રય, ભઠ્ઠીની બારી, અમદાવાદ. સં. ૨૦૪૮ મહા સુદ પ, જાપ આરાધકે ૧૬૫–જાપસંખ્યા : ૯ લાખ. # પૂજ્યશ્રીની નિશ્રામાં રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર :– * પ્રથમ : શામળાની પોળ જૈન સંઘ સં. ૨૦૪૫, શિબિરાર્થી ૪૫૦ * દ્વિતીય : શ્રી વર્ધમાન . જૈન સંઘ, સં. ૨૦૪૬, શિબિરાથી, ૨૫૦ * તૃતીય શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય, સં. ૨૦૪૭, શિબિરાથી, ૫૦૦ જ પૂજ્યશ્રીની નિશ્રામાં છે'રીપાલિત પદયાત્રા સંઘ – * મેહનપુરથી ઇડરગઢ તીર્થ, સં. ૨૦૪૦, સંખ્યા ૨૫૦ * અમદાવાદથી કલિકુંડ તીર્થ, સં. ૨૦૪૪, સંખ્યા ૨૫૦ * અમદાવાદથી સેરીસા તીથ, સં. ૨૦૪પ, સંખ્યા ૫૦૦ * અમદાવાદથી સેરીસા તીર્થ, સં. ૨૦૪૮, સંખ્યા ૩૫૦ જ પૂજ્યશ્રીની નિશ્રા અને પ્રેરણાથી જિનમંદિર નિર્માણ — જ શ્રી સુમતિનગર જૈન સંઘ, વાસણા, સં. ૨૦૪૨. * * Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726