Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 658
________________ ६५६ શાસન પ્રભાવક કંડાર્યા અને તે તેઓશ્રીના પ્રથમ પુસ્તક રૂપે પ્રગટ થયાં, જેનું નામ છે “જીવન ઉદ્યોગ આ પુસ્તક સુરતમાં સં. ૨૦૩૮ના માગશર વદ ૧૦ને દિવસે પ્રકાશિત થયું. અને ત્યાર બાદ તેમની કલમ વેગ પકડતી ગઈરાટ બનતી ગઈ સાવિક ને તાત્વિક બનતી ગઈ. “ શ્રી ધર્મરત્નપ્રકરણ” ગ્રંથ પરનાં પ્રવચન લખવાનાં ચાલુ થયાં. તે પણ પુસ્તક રૂપે બહાર પાડ્યાં. દરેક વિષય પર છણાવટ કરતાં લેકગ્ય પુસ્તકે શૃંખલાબદ્ધ લખાતાં ચાલ્યાં. પુસ્તક પ્રકાશનની આ વણથંભી યાત્રા આજે ૫૪માં પુસ્તકના પ્રકાશને પહોંચી છે. પૂજ્યશ્રીનું લેખન લેકભોગ્ય હેવાની સાબિતિ એ છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી થોડા જ સમયમાં અપ્રાપ્ય બની જાય છે. સહજ, સરળ અને જીવન પગી વાચન દ્વારા અનેકના જીવનમાં અનેક પ્રકારનાં turning point આવ્યાં છે. વિષાદ અને અશાંત અવસ્થામાં જીવતાં માનવીને પ્રશાંત અને અશાંત અવસ્થામાં જીવતા માનવીને પ્રશાંત અને આનંદિત બનાવવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. મતની ગર્તામાં ધકેલાઈ ગયેલા માનવીને નવું જીવન બક્ષનારું આ સાહિત્ય બન્યું છે. શિબિરેના માધ્યમ દ્વારા પૂ. ગણિવર્ય શ્રી દસ હજારથી વધુ યુવાનના રાહબર બન્યા છે. વિશિષ્ટ આદેય નામકર્મના કારણે જૈન-જૈનેતર યુવાવર્ગમાં વિશેષ આકર્ષણનું કારણ બન્યા છે. સંઘ પ્રત્યેના વાત્સલ્યથી છલે છલ હૈયું...નાનામાં નાના સ્વ-પર સમુદાયના સાધુભગવંત પ્રત્યે પ્રેમ સુંદર ઔચિત્યપાલનડગલે ને પગલે વિનય ગુણનું પાલન...તેજસ્વી અને ધારદાર કલમ.સચોટ અને પ્રભાવપૂર્ણ વકતૃત્વકળાસીદાતા સાધમિક-જીવદયા-પાઠશાળા વૈયાવચ્ચ વગેરે ક્ષેત્રોને સધ્ધર કરવાની ભારે જહેમત, ગામેગામના સંઘને જીતેલે પ્રેમ, જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા અને તમામ સફળતાનાં મૂળમાં દેવ-ગુરુની કૃપાને જ કારણે માનવાની દિલમાં સજજડ શ્રદ્ધા – આવા અનેકાનેક ગુણોથી સજ્જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમ ને શુભ દિને અમદાવાદમાં તપોભૂતિ પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આવા પ્રભાવશાળી અને ઉપકારી સાધુવરના હસ્તે અનેકાનેક ભવ્ય-દિવ્ય શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહો એવી હાર્દિક કામનાઓ સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! સરળતાના ઉપાસક પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનશાસનને રત્નાકરની ઉપમા આપીએ તે જૈન શ્રમણને રત્નની ઉપમા મળે. વિવિધ પ્રતિભાવંત મુનિઓ જૈનસંઘના રત્નભંડારનું ઝવેરાત છે. જૈનસંઘ એ રત્ન માટે ગૌરવ અનુભવે છે. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ એવા જ એક ગૌરવશાળી શ્રમણ છે. મહાન ક્રિયેદ્ધારક યુગપ્રધાન આચાર્યશ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં (પાર્ધચંદ્રગચ્છમાં) વિચરતા ભુવનચંદ્રજીનું નામ એક જ્ઞાને પાસક સમન્વયરુચિ અને અધ્યાત્મપ્રેમી મુનિ તરીકે જૈનસંઘમાં જાણીતું છે. સ્વ. પૂ. મુનિરાજશ્રી પ્રીતિચંદ્રજી મહારાજ પાસે બાર વર્ષની વયે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726