________________
૩૩૪
બ્રહ્મચર્ય : પૂજ્યશ્રી આ પડતા કાળમાં પણ અનન્ય કોટિની બ્રહ્મચર્યની વિશુદ્ધિને ધારણ કરતા હતા. તેઓશ્રીંના મુખારવિંદ પર તે પવિત્રતાનુ તેજ ચમકતુ. આંખા પણ નિવિકાર હતી. કાયા અને વચન તે પવિત્ર હતાં જ, પર ંતુ મનની વિશુદ્ધિ પણ એટલી જ પ્રબળ હતી. શરીરના એક રૂંવાડામાં પણ તેઓશ્રીએ કયારેય વિકારના ક્ષણિક ઝમકારો ય અનુભબ્યા નહી હોય ! આપાદમસ્ત સર્વથા પવિત્ર એવા આ પરમ બ્રહ્મસ્વામી મહાપુરુષ કલિકાલનું એક મહાન આશ્ચર્ય હતા. આ બ્રહ્મચર્યના પ્રભાવથી તેઓશ્રીના મનમાં ઊડતાં શાસનનાં કાર્યોના સર્વાં મનોરથે નિશ્ચિતપણે સફળ થતા. સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસ દુર્લ`ભ હતા તેવા કાળમાં પૂજ્યશ્રીને મનોરથ થયા કે સંમતિતક સુધી પહેાંચે એવા સાધુએ તૈયાર કરું. ને તેએશ્રીના મનોરથ ફળ્યા. સિદ્ધાચલ ગિરિની યાત્રા કરતાં પૂજ્યશ્રીને ભાવ થયા કે શાસનમાં ખાનદાન કુળના સુશિક્ષિત નખીરાના પચીસેક સાધુઓને નવા સમુદાય તૈયાર કરુ. પૂજ્યશ્રી સિદ્ધગિરિથી તરત મુ`બઈ ગયા અને પાંચ વર્ષોંમાં સુખી ઘરના, ભણેલાગણેલા પાંત્રીશ યુવાનાને દીક્ષા આપી તૈયાર કર્યો.
શાસનપ્રભાવક
પૂજયશ્રીંના અતિ ઉગ્ર બ્રહ્મચર્યના પ્રભાવ એવા હતા કે તેમની પાસે બેસવાથી જ નહિ, પરંતુ તેમના નામસ્મરણ માત્રથી વિકરે અને વાસનાએ શાંત પડી જવાનું અનેક સાધુઓએ અને શ્રાવકોએ અનુભવ્યુ છે. પાતાના આશ્રિતાના બ્રહ્મચયની રક્ષા માટે તેઓશ્રી સતત સાવધાન રહેતા. અત્યંત કરુણાના સાગર એવા પૂજ્યશ્રી આ બાબતમાં અતિ કઠોર હતા. તેઓશ્રી પ્રહ્મચર્યના વિષયમાં કોઈની પણ શેહશરમ રાખતા નહીં. એશી વર્ષની પાકટ વયે પણ આ પ્રશ્નનિધિએ સ્ત્રી કે સાધ્વી સામે ષ્ટિ કરીને વાત કરી નથી. તેઓશ્રીની સાથે રહેલા સાધુઓમાં પણ સ્ત્રીસંસગ જોવા મળતા ન હતા. બ્રહ્મચર્યંની સઘળી ય વાડેનુ તેએ ચુસ્તપણે પાલન કરતા અને સમુદાયના સાધુઓ પાસે કરાવતા. અસંયમને જરા પણ ચલાવી લેતા નહીં. અનેક પ્રકારની પ્રતિકૂળતાએ વેઠીને પણ પૂજ્યશ્રીએ પોતાના આશ્રિતોના સંયમની રક્ષા કરી છે. સંયમરક્ષા દ્વારા શાસનરક્ષા –માટે એક વયેાવૃદ્ધ આચાર્ય શ્રી વિજયયાદેવસૂરિજી સિવાય બીજા કોઈ ને પણ તેઓશ્રીએ સાધ્વીસમુદાય રાખવાની આજ્ઞા આપી ન હતી. ઉત્સૂત્ર, ઉન્મા અને અસયમ સામે તેઓશ્રી જીવનભર ઝઝૂમીને ખરેખર, સાચી શાસનરક્ષા કરી ગયા.
દીક્ષાના દાનવીર : પૂજ્યશ્રીનાં વાત્સલ્ય, કરુણા, વિદ્વત્તા અને સંયમના ભવ્ય ગુણાથી અનેક પુણ્યામાએ આર્કિષત થયા અને તેમના સાંન્નિધ્યને સ્વીકારીને સ`વિરતિધમની સુંદર આરાધના કરવા લાગ્યા. પૂજ્યશ્રીના પ્રભાવ એવા હતા કે, જેના પર તેમની વિશેષ દૃષ્ટિ પડતી એના લગભગ સ’સારમાંથી ઉદ્ધાર થઈ જતેા. પૂ. ગુરુદેવ તરફથી મળેલા સાંઈ સાધુના વારસાને પૂજ્યશ્રીએ પોતાના અતિમ કાળ સુધીમાં ત્રણુસા સુધી પહોંચાડી ઢીધા. દીક્ષા આપીને પૂજ્યશ્રી સાધુઓને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાનું ખૂબ જ ધ્યાન રાખતા. ખૂબ જ સારી રીતે સારણા, વારણા વગેરે દ્વારા સાધુએના જીવનના વિકાસ સાધતા તેઓશ્રીએ અનેક વિદ્વાન, સ’યમી, વક્તા, લેખક, ત્યાગી અને તપસ્વી મુનિએના એક વિશાળ સમુદાય ઊભા કર્યા, જે આજે પણ શાસનના યાગ અને ક્ષેમને વહન કરી રહ્યો છે. તેઓશ્રીના
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org