________________
શ્રમણભગવતો-ર
ધીર-ગંભીર અને મેધાવી ચિંતક તથા પ્રભાવી પ્રવચનકાર
પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ
પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજ પિતાના વડીલ બંધુ વ્યાકરણાચાર્ય પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. તેઓશ્રીનું મૂળ વતન જંબુસર પાસેનું અણખી ગામ. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. પૂર્વના પ્રબળ સંસ્કારે ચૌદ વર્ષની ઊછરતી વયે તીવ્ર વૈરાગ્યપૂર્વક સં. ૨૦૧૭માં સુરત શહેરમાં પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવ પૂર્વક સંયમ ગ્રહણ કર્યું. તોત્ર ક્ષયે પશમથી ન્યાય, વ્યાકરણ અને સાહિત્યને મૌલિક અભ્યાસ કર્યો. આગમગ્રંથ તથા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓનું ઊંડું અધ્યયન કર્યું. પ્રભાવશાળી વકતૃત્વ અને ચિંતનપૂર્ણ અસરકારક લેખનકળાથી શ્રેતાઓ અને વાચકેનાં હૃદયમાં સ્થાન મેળવી ચૂક્યા છે. પૂજ્યશ્રી સાહિત્યરસિક છે; સાહિત્યના પ્રાચીન-અર્વાચીન પ્રવાહથી પરિચિત છે; સામયિકમાં અભ્યાસલેખેના પ્રકાશન દ્વારા સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી કાવ્યરચનાઓ પણ કરે છે અને મૌલિક, રસાળ શૈલીમાં, લોકભોગ્ય અભિવ્યક્તિ છટાથી ગ્રંથોમાં ચિંતન પણ પીરસે છે. પૂવ્યાકરણાચાર્ય શ્રીના શિષ્ય હોવાને નાતે તેઓશ્રી વિવિધ ભાષાના મર્મજ્ઞ છે અને ગુજરાતી ભાષાના લેખન પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. પૂજયશ્રીના બાલશિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજી મહારાજ પણ તેઓશ્રીની વત્સલ નિશ્રામાં સુંદર અભ્યાસ સાધી રહ્યા છે.
પૂજ્યશ્રીનાં માતા, પિતા, ભાઈ અને બહેન સંયમ સ્વીકારીને અનુક્રમે પૂ. મુનિશ્રી હીરવિજયજી મહારાજ, પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ નામે સ્વ-પર ઉપકાર સાધી રહ્યાં છે.
સાહિત્ય, પ્રાચીન ઇતિહાસ અને પટ્ટાવલી પૂજ્યશ્રીના રસના આગવા વિષયે છે. વિશાળ વાંચન-મનનને પરિણામે તેઓશ્રીનાં પ્રવચનમાં અને વાતચીતમાં પણ ચિંતનના ચમકારા અનુભવવા મળે છે. તેથી પૂજ્યશ્રી વિજગતમાં પણ એટલા જ પ્રિય છે અને સામાન્ય જનસમુદાયમાં પણ એટલા જ પ્રભાવક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ તેઓશ્રીને અતીવ પ્રિય છે. એ સર્વનું ઊંડું અવગાહન કર્યું છે. પૂ. ઉપાધ્યાયજીના ઢાત્રિશત્ કાત્રિશિકા આદિ ગ્રંથો પર તથા તેમના જીવન-કવન પર તેઓશ્રીએ અનેક સંશોધનના આધારે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી મહારાજની જન્મભૂમિ મહેસાણા પાસે કનેડા ગામ હોવાનું પ્રતિપાદિત કરી, એ સ્થાનને “યભૂમિ' ના નામથી ગૌરવાન્વિત કર્યું છે. આ પ્રસંગનું આયેાજન જૈન સમાજના અગ્રણીઓ, તે વિસ્તારના સમસ્ત ગામલેક અને સેંકડો ભાવિકેની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થયું. પૂ. પંન્યાસશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં અનેક કાર્યો ચિરસ્થાયીરૂપે અવિસ્મરણીયપણે નિર્માણ થતાં રહ્યાં છે. શ્ર ૮૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org