________________
શ્રમણભગવંત-૨
૬૫૧ સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા–મહત્સવ ઊજવા અને પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, નમ્રતા અને પ્રસન્નતાના ગુણ ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં અગ્રગામી રહ્યા.
* મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પ્રભાવનાઓ કરી. દસેક જેટલા છરીપાલિત સંઘ કાઢ્યા, જેમાં નાગેશ્વરના સાત સંઘ કાઢયા. સુરતથી સમેતશિખરને ૧૪૦ દિવસને છરી પાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક આપશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યું હતું. પૂજ્યશ્રી હસ્તક વીશેક દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. ઉજજૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. એકતાના હિમાયતી તરીકે પૂજ્ય શ્રી મેર જાણીતા થયા. પૂ. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી મહાયશસાગરજી મહારાજની પંન્યાસપદવી પણ તેઓશ્રીના હાથે થઈ
- પૂજ્યશ્રી શાના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બીમારી હોય, પણ આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. તેઓશ્રીએ જીવનભર બેસણાથી ઓછી તપશ્ચર્યા કરી નથી. આઠ માસખમણ, ૨૧ સેળ ઉપવાસ, ૧૦૦ ઉપરાંત અઠ્ઠાઈની આરાધના કરી છે. જૈનધર્મની વિયપતાકા જૈનેતરમાં પણ ફેલાવવા તેઓશ્રીએ કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું છે. પ્રાણપ્યારા ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાથે રહીને પાલીતાણા શત્રુંજય તળેટીમાં આકાર લઈ રહેલ જંબૂદ્વીપની વિશાળ જનાને આખરી ઓપ આપવામાં સતત સક્રિય રહ્યા છે. સં. ૨૦૪પનું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. આ ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મંગલ આરાધનામાં પૂજ્યશ્રીને પ્રભાવ તે જુઓ – ૩૭૫ આરાધકની સંખ્યા ! તમામ રેકે તેડી નાખે તેવી ઉછામણી અને આવક થઈ. શ્રી જબૂદ્વીપનું વિશાળ નિર્માણકાર્ય યશસ્વી રીતે પૂર્ણ થયું તેમાં તેઓશ્રી પિતાના પૂ. ગુરુદેવની કૃપા સમજે છે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ કલકત્તા કેનિંગ સ્ટ્રીટમાં પણ એવું જ શાસનપ્રભાવક બની રહ્યું હતું !
- પૂજ્યશ્રી સમર્થ સાહિત્યકાર પણ છે. ૩૦ વર્ષના દીક્ષા પર્યાયમાં ૬૦ જેટલાં પુસ્તક પ્રગટ કર્યા છે. સરળ અને હૃદયંગમ વાણીમાં વ્યાખ્યાન આપીને ભાવિકેને ભાવભીનાં– ભક્તિભીનાં કરવાની અજબ કુશળતા ધરાવતાં પૂજ્યશ્રીએ સાધમિકેને યથાશક્તિ પ્રેરણા, પષણ અને પ્રેત્સાહન પૂરું પાડ્યું છે. પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રના અજોડ આરાધક છે. સ્વસ્થ ચિંતક છે. કટોકટીની પળેમાં શાન્ત અને સ્વસ્થ ચિત્તે ઉકેલ શોધનારા સાધુ-પુરુષ છે. એવા સમર્થ સાહિત્યસર્જક, પરમ શાસનપ્રભાવક, સુમધુર વ્યાખ્યાતા પૂ. પંન્યાસજીના વરદ હતે વધુ ને વધુ શાસનપ્રભાવક સેવા થતી રહે એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં ભાવભીની વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org