________________
૪૭૬
શાસનપ્રભાવક
નિઃસ્પૃહી અને પ્રેમાળ મૂર્તિ, જિનશાસનનું ગૌરવરત્ન પૂ. આ. શ્રી વિજયક૯પજયસુરીશ્વરજી મહારાજ
પુણ્યપાવન ગુજરાત પ્રાન્તના જામનગર શહેરમાં વીશા ઓસવાલ ઝવેરી લાભુભાઈ ખેંગારભાઈ રહે. એમને ત્યાં સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થ. બાળકનું નામ કિરણકુમાર રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારે વચ્ચે રહીને બાળક કિરણકુમારમાં પ્રથમથી જ ધાર્મિક સંસ્કારને વિકાસ થયો. અને આગળ જતાં, સંસાર પ્રત્યેની વિરક્તિ અને સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા ! જામનગરમાં સં. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. ૫. શ્રી વિનયવિજયજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના શિષ્ય મુનિરાજશ્રી ક૯પજયવિજયજી તરીકે જાહેર થયા.
- પૂજ્યશ્રીએ પહેલું ચાતુર્માસ જામનગર-દિગવિજ્ય પ્લેટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને સચેટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી જેનસમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદ-નવરંગપુરામાં ગણિ–પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. અને સં. ૨૦૩ન્ના જેઠ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહેત્સવપૂર્વક આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે આચાર્યપદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. ૨૦૪પનું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મને જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતા શિષ્યસમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચારી રહ્યા છે અને જયવંતા વતી રહ્યા છે. અને એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના!
A
w
निकाल वंदना
નયનોની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org