________________
પ૬૭ શ્રમણભગવત-૨ વડીલ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી રહેલા પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં ભાવભીની કેટિશઃ વંદના !
(સંકલનઃ પૂ. મુનિશ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ)
અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસંપન્ન
પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ
જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીને દેહ તે બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિને કારણે શાસનસેવાની ઘણી જનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે, વક્તા અને વિદ્વાન છે, સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જેનશાસનની અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પિતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખે વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પિતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉશ્યન કરી શકે છે, માટે જ તેમનું નામ “કલાપ્રભસાગર” રખાયું ન હોય જાણે!
બે દાયકા પહેલાં, સેળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈના મેહ અને મમતાને ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વને સ્વીકાર કરી કચ્છ-ભુજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગને સ્વીકાર કર્યો ત્યારે સં. ૨૦૨૬ ના કારતક વદ ૧૩ ને શનિવારને શુભ દિવસ હતું. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ), તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એને ઘણું મટે યશ શ્રી આર્ય રક્ષિત જેન તત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમ જ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સંસ્કૃત સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથ, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથનું અધ્યયન કર્યું છે.
સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૨૮માં “પરભવનું ભાતું” નામના લેકમેગ્ય પુસ્તકના આલેખન-સંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાને અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડાર જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી ! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકની સંખ્યા ૭૦ થવા જાય છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org