Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 618
________________ શાસનપ્રભાવક દરબાર બહાદુરસિંહજી, મોરબીના લખધીરસિંહજી, જામનગરના જામસાહેબ રણજીતસિંહજી તથા દિગ્વિજયસિંહજી, લીંબડીના દોલતસિંહજી, બીકાનેરના મહારાજા ગંગાસિંહજી, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ મુખ્ય હતા. એ બધા એમના મિત્ર બની ગયા. એમાં સયાજીરાવ ગાયકવાડ અને લીંબડીના દોલતસિંહ સાથે એટલે બધે આત્મીયભાવ હતું કે બંને યુરોપમાં સાથે હોય, અને એમને દેશી ભજન જમવાની ઈચ્છા થાય ત્યારે સામેથી જીવણચંદ શેઠને કહેવરાવે કે અમે તમારે ત્યાં ભેજન લઈશું. જીવણચંદ શેઠ પાલીતાણા જાય ત્યારે તેમને લેવા માટે પાલીતાણા દરબાર સેનગઢ મેટર મોકલે, અને પાલીતાણામાં એમની સર્વ રીતે સારસંભાળ લેવાય. મુંબઈમાં જ્યારે ગણતરીની જ મોટરે હતી તે વખતે ફ્રાંસના એક હીરાના વેપારીઓ જીવણચંદ શેઠને ૬૦ હેર્સ પાવરની મોટર ભેટ આપી હતી. આખા મુંબઈમાં ૬૦ હોર્સ પાવરની આ એક જ મોટર હતી. તે મોટરે આખા મુંબઈનું ધ્યાન ખેંચતી. મુંબઈની પિલીસને પણ એની તકેદારી રાખવી પડતી. એનું હોર્ન ભૂલેશ્વરના લાલબાગના દેરાસર પાસે વાગે તે ઝવેરી બજારને છેડે સંભળાતું. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એ મોટરની એટલી તકેદારી રાખવી પડતી કે જીવણચંદ શેઠને બંગલે રેજ સવારમાં પોલીસ પૂછી લેતી કે શેઠ ક્યારે અને કયા રસ્તે નીકળવાના છે, જેથી રસ્તામાં ટ્રાફિકની સલામતી રાખી શકે. અંગ્રેજ અમલદારે પણ જીવણચંદ શેઠ તરફ પ્રેમભર્યો આદર રાખતા. શેઠની પ્રામાણિકતાની એટલી બધી છાપ હતી અને લોકોને એટલો બધો વિશ્વાસ મેળવેલ હતો કે અજાણ્યા આરબ વેપારીઓ પોતાને માલ એમને ત્યાં જાંગડ રાખી પિતાના દેશ જઈ આવતા. પહોંચ લેવાની પણ દરકાર કરતા નહીં. આવા એક મતીના વેપારી આરબ હાજી અબ્બાસ ૧૮ લાખને માલ એમને ત્યાં મૂકીને હજ કરવા ગયા. હજ કરીને આવ્યા ત્યારે શેઠે કહ્યું કે, “ તમારે માલ તપાસી લે.” ત્યારે હાજી અબ્બાસે કહ્યું, “તમારે ત્યાં મૂકેલે માલ ખુદાને ત્યાં મૂક્યા બરાબર છે, શેઠ!” જીવણચંદ શેઠની પ્રામાણિકતાને આટલે વિશ્વાસ વ્યાપારી આલમમાં હતું. યુરોપીય કંપનીઓમાં પણ આટલી જ શાખ હતી. કિલીક નિકસન, વેલેસ બ્રધર્સ, જેમ્સ ફીનલે, ઈવાટ લાડમ, ઈ. ડી. સાસૂન, વાઈવાણું વગેરે કંપનીઓ લાખને માલ જીવણચંદ શેઠ પાસેથી લેતી. કેઈ વખત માલ લીધા વગર, વ્યાજ કે કમિશન પણ લીધા વગર, લાખ પાઉડની કેડિટ આપતી. જ્યારે પાઉન્ડના ભાવ ગગડી ગયા અને હુંડિયામણની બેટ આવી અને ઝવેરી બજારમાં આંચકા આવ્યા, એ સમયમાં પણ માલ લીધા વગર વાઈવાણું કંપનીએ પંદર લાખ રૂપિયાની અને કિલીક નિકસને ૪૫ લાખ રૂપિયાની કેડિટ આપી. વ્યાજ કે માલ લીધા વગર એપન ક્રેડિટ બેન્ક ઉપર સીધી મોકલી આપી; અને સાથે લખ્યું કે તમે જે કાંઈ માલ મોકલશે તેના ઉપર અમે કઈ કમિશન કાપીશું નહીં. જીવણચંદભાઈની આવી શાખ ઠેઠ વિલાયતમાં પણ હતી. જીવણચંદ શેઠની પેઢી તરફથી ધર્માદાના કાંટાને પેઢીના વેચાણના માતીનું માત્ર વજન તેલવાની આવક પણે લાખથી એક લાખની થતી. તે રકમ ઉપર પણ હિસાબ કરતી વખતે જીવણચંદ શેઠ ધર્માદા કાંટાને વ્યાજ સાથે રકમ આપતા. આ હિસાબે વાર્ષિક કેટલા કરેડને માલ વેચાતે હશે એની કલ્પના કરવાની રહે છે! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726