________________
શ્રમણભગવતા–ર
૪૧૯
દિવસે ડીસામાં પૂ. પ. શ્રી કાંતિવિજયજી ગણિવરના વરદ હસ્તે દીક્ષિત બનીને તે પૃ. ૫. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જિનપ્રભવિજયજી મહારાજ અન્યા.
પ્રારંભથી જ સંયમસાધના પ્રત્યે ઉત્કૃષ્ટ સ્નેહ હતા. એમાં ગજબના ગુરુદેવાના ભેટા થઈ ગયા, પછી કમીના જ શી રહે! નિત્ય એકાસણાં, શુદ્ધ આહાર-પાણીની ગવેષણા, સ્થંડિલ માટે બહિભૂમિના આગ્રહ ઇત્યાદિ અનેક આદશ ગુણા સાથે જ્ઞાન-ધ્યાન અને જપ-તપમાં પણ વિકાસ સાધી રહ્યા. વર્ષો પછી તેઓશ્રીના સ'સારી પિતા ચીમનલાલ પણ સયમી બન્યા. આજે તે પૂ. તપસ્વી મુનિરાજ શ્રી વારિષણવિજયજી મહારાજ તરીકે સુંદર સંયમસાધના કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી રાજસ્થાનની ધરતી પર સતત વિચરણ કરનારા આ પિતા-પુત્રના સયમજીવનની અમીટ છાપ રાજસ્થાનનાં ગામડે ગામડે દિષ્ટગોચર ખને છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન ઉપધાનતપની મેસમ જામેલી જ રહેતી. તેઓશ્રીની નિશ્રામાં વર્ષ દરમિયાન એ-ત્રણ વખત ઉપધાન થાય જ; અને મેટી સંખ્યામાં આરાધકો પણ હોય જ, એવાં દૃષ્ટાંતે અસંખ્ય મળી આવે. પૂજ્યશ્રીના શાંત અને પરોપકારી સ્વભાવ એમાં ઘણે! સહાયક રહ્યો હતા. અનેક ઉપધાના, ઉજમણાએ, સ ંઘા, પ્રતિષ્ઠા-મહેસવા આદિ પ્રભાવના એના નિશ્રાદાતા શ્રી જિનપ્રભવિજયજી ગણિવરને સ', ૨૦૪૩ના પાષ વદ્ય ૬ને દિવસે ડીસા મુકામે આચાય પદ પર પ્રતિષ્ઠિત કરાયા હતા. શાસનની સુંદર આરાધના-પ્રભાવના કરી જનાર પૂજ્યશ્રી સંયમપર્યાયના ૩૯મા વર્ષે શ ંખેશ્વરતી ની પાવન છત્રછાયામાં સં. ૨૦૪૫ના ચૈત્ર સુદ પાંચમે સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની ભવ્ય સ્મશાનયાત્રા તેએશ્રીની લોકચાહનાની અમર સાક્ષી બની રહી. હૃદયપૂર્વક વંદન હજો એ પરમ પ્રભાવક સૂરિવરને !
6
સિદ્ધાંત દિવાકર ’, સમર્થ શાસ્ત્રવેત્તા, ક સાહિત્યના ગહન અભ્યાસી, પ્રકાંડ પંડિત, વૈયાવચ્ચમાં વિનમ્ર ભક્ત, પ્રાયશ્ચિત્તમાં વડીલ
પૂ. આચાર્યશ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ
કેટલીક વિભૂતિ પૂર્વજન્મના સ'સ્કારબળે આ ભવમાં એટલી તેજસ્વી અને યશસ્વી
બની જતી હોય છે કે જગત એને આશ્ચર્યની દૃષ્ટિથી જ નિહાળી રહે છે. એમના એક એક અદ્ભુત કાર્ય ને સાન નિહાળી રહે છે. ૧૨-૧૩ વર્ષની કુમળી વયે એક તેાફાની બાળક વૈરાગ્યમાગે ડગ માંડે અને મહાન શાસ્ત્રવેત્તા તરીકે પ્રસિદ્ધ થાય એ આશ્ચય સિદ્ધાંતવિાકર પૂ. આ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજના જીવન સાથે જોવા મળે છે. પૂજ્યશ્રીના જન્મ મુંબઈમાં સ. ૧૯૯૨ના અષાઢ વદ બીજને દિવસે થયા હતા. પિતાનુ નામ મફતલાલ અને માતાનું નામ કાંતાબહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામ જવાહરલાલ હતું. જવાહર નાનપણમાં તાફાની હતા. એને જોઈ ને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ બાળક મેટપણે મહાન શાસ્ત્રવેત્તા બનશે. સ. ૨૦૦૬માં પૂ. આ, શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org