________________
શ્રમણભગવંતો-૨
૩૩૫ સમય દરમિયાન દીક્ષાવિરોધ, દેવદ્રવ્ય-દુરુપયેગ વગેરે અનેક પ્રશ્નો ઊડતા; જેને પ્રબળ પ્રતિકાર કરી-કરાવી પૂજ્યશ્રીએ શાસનની અને સંઘની રક્ષા કરી છે. સં. ૨૦૧૧માં મુંબઈ રાજ્યની ધારાસભામાં બાળદીક્ષા પ્રતિબંધક બિલ રજૂ થયું હતું. પૂજ્યશ્રીએ અથાગ પ્રયત્ન કર્યા અનેક વિદ્વાને, ડોકટરો, વકીલે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે આજના બુદ્ધિજીવીઓ પણ પૂજ્યશ્રીના સંયમથી પ્રભાવિત થઈ દીક્ષા–પ્રતિબંધક બિલના વિરોધમાં જોડાયા. પૂજ્યશ્રીએ એ માટે એવે પ્રચંડ જનમત ઊભો કર્યો કે બિલ મૂકનાર વકીલને તેની સામે નમતું જોખવું પડ્યું. તે વખતના મુંબઈના મુખ્ય મંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈ એ ધારાસભામાં પ્રજાના પ્રચંડ વિરોધને દર્શાવીને દીક્ષા–પ્રતિબંધક બિલને ઉડાવી દીધું. પૂજ્યશ્રીના સંયમબળે આ રીતે શાસન પરની મહાન આપત્તિ દૂર થઈ.
વાત્સલ્ય : સાગર સમા વિશાળ વાત્સલ્યભાવથી અનેક પુણ્યાત્માઓને આકષ સેંકડો શ્રેષ્ઠ સાધુઓનું પૂજ્યશ્રીએ સર્જન કર્યું હતું. ગમે તેવા દોષિતને પણ વાત્સલ્યપૂર્વક હિતાશિક્ષા આપીને દેષની શુદ્ધિ કરાવવાની અજબની કળાને પૂજ્યશ્રી વર્યા હતા. આ કળા દ્વારા તેઓશ્રીએ જીવનભર અનેક આત્માઓની શુદ્ધિ કરી હતી.
તપ-ત્યાગ : બાહ્ય ભામાંથી પિતાની વૃત્તિઓને ખેંચી લઈને આંતરભાવમાં લીન બનેલા પૂજ્યશ્રીને બાહ્ય પુદ્ગલે શી રીતે આકર્ષી શકે ? પરિમિત દ્રવ્યના માત્ર દસ મિનિટના એકાશનાં તે હતાં; મિષ્ટાન્ન, મેવા ને ફળને તે આજીવન ત્યાગ કર્યો હતે. હવે બાકી શું રહ્યું ? આમ છતાં, પૂજ્યશ્રીએ પાટણમાં અને પૂનામાં ચાતુર્માસમાં રોટલી અને દાળ નામ સાથે બે જ દ્રવ્યનાં એકાસણું અભિગ્રહપૂર્વક કર્યા. સેંકડો સાધુઓના શિરતાજને આ ત્યાગ કેટલાયે મુનિઓની આંખોમાં આંસુ વહાવતે ! બે આસનથી વધુ ન રાખવાં, કંકેત્રી વગેરેમાં અતિશયોક્તિવાળાં વિશેષણ ન લખવા દેવાં, એંઠાં મેં બોલાઈ જાય તે પચીસ ખમાસમણું દેવાં, ઉભયટેક આઘાનું પડિલેહણ ન થાય તો બીજા દિવસે આયંબિલ કરવું....વગેરે અનેકવિધ ઘેર અને ઉગ્ર અભિગ્રહ ધારણ કરતા. ચાલુ ગોચરીમાં પણ સ્વાદ ન આવે માટે પૂજ્યશ્રી ગોચરી ચાવવાને બદલે સીધી જ ઉતારી જતા.
સમતા : તપ અને ત્યાગના સમ્રાટ પૂજ્યશ્રીની સહનશીલતા પણ ગજબની હતી. ફરતા વાના વ્યાધિની સખત વેદના પૂજ્યશ્રીએ ૫૦ વર્ષ સુધી આનંદપૂર્વક જોગવી. જ્યારે આ ફરતા વાને દુઃખા શરૂ થતો ત્યારે પૂજ્યશ્રી કહેતા કે, “મિત્ર આવ્યો છે.” કર્મનિજરમાં સહાયક આ દુઃખાવાને પૂજ્યશ્રી મિત્ર તરીકે માનતા. દુઃખ ક્યારેક રાત્રિભર ઉજાગર કરાવતે; પરંતુ આ દુઃખાવામાં રાહત માટે પૂજ્યશ્રી ગરમ પાણીના શેક સિવાય બીજા કોઈ ઔષધ-ઉપચારને ઉપાય જતા નહીં. છેલ્લી સ્થિતિમાં તે જાણે કર્મસત્તા પર ભયંકર મારો ચલાવવા માટે પૂજ્યશ્રીએ સંકલ્પપૂર્વક આ નિર્દોષ ઉપચારને પણ ત્યાગ કર્યો હતો અને જે દુઃખ થાય તે સહન કરી લેવાને નિશ્ચય કર્યો હતે. ૭૮ વર્ષની વયે એક વાર પિંડવાડાથી ૧૮ માઈલને ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રી શ્રીસંઘયાત્રાના પ્રારંભમાં રહીડા પધાર્યા. ઉગ્ર વિહારના પરિશ્રમથી હૃદયરોગને હુમલે આવ્યું. દેડધામ થઈ ગઈ, પણ પૂજ્યશ્રી પાર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org