________________
૩૭૨
શાસનપ્રભાવક
સંયમ, સરસ્વતી અને સદાદિતતાના ત્રિવેણીસંગમે પ્રતિષ્ઠિત એવા પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં જન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ ખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાને માપદંડ હોય છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દષ્ટિપાત કરીશું તે લાગ્યા વિના ન રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧ થી સં. ૨૦૩૮ સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું ડું અમૃતપાન કરીશું તે જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે રાધનપુરની આગળ “આ” લગાવીએ તે જ તેને સન્માન આપ્યું ગણાય. એ રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ તેનું નામ મુક્તિલાલ પાડયું. અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકેલામાં રહેતા હતા, પરંતુ તેમનું મન વારંવાર દિક્ષા લેવા માટે ઝંખતું હતું. સં. ૧૯૭૫માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના સાકાર ન બની. પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રમાં રપાઈ ગયાં હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા. પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખે. આ અરસામાં મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના દઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના જોઈ ત્રીજા ભાઈ એ પણ એ જ પંથે પ્રયાણ કરવાને સંકલ્પ કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે મુનિશ્રી મહદયવિજયજી નામ ધારણ કર્યું. પરંતુ માતા મણિબહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિવિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને ધન્ય બનાવી ગયાં.
મુનિ શ્રી મુકિતવિજયજી મહારાજ નાનપણમાં વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org