________________
શ્રમણભગવંતા-ર
૨૩૯
માગશર સુદ ચેાથને દિવસે ૫૦ હજાર ભાવિકોની મેદની વચ્ચે, ૧૦૦ સાધુ તથા ૪૦૦ સાધ્વીજીએ વચ્ચે પૂ. યુગદિવાકરશ્રીની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી મેારારજીભાઇએ પ્રથમ જાતે કાંતેલી ખાદીના કપડા ઓઢાડીને, પછી શાલ ઓઢાડીને જાહેર સન્માન કર્યુ. દબદબાભર્યા આ અવસરનું લાકોએ ગગનભેટ્ટી જયનાદોથી સ્વાગત કર્યું. આવા પ્રસ`ગ ઇતિહાસમાં પહેલીવાર ઊજવાયેા. –કેમ કે રાષ્ટ્ર પહેલી જ વાર એક સ ંતનું બહુમાન કરી રહ્યું હતુ. આ પ્રસ ંગે શતાવધાની મુનિશ્રીજયાન વિજયજી મહારાજનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ આદિ અગ્રગણ્ય નેતાએ પણ ઉપસ્થિત હતા. ભારત સરકારના આદેશથી ઉજવણીમાં ૧૩ લાખના ખર્ચે થયે તે ગુજરાત સરકારે ભોગવ્યા હતા. તે પછી બીજા દિવસે જૈનવિધિ પ્રમાણે વીસ હજાર માનવાની જગી હાજરી વચ્ચે પુજ્યશ્રીને આચાય પદે આરૂઢ કરવાના ભવ્ય પ્રસંગ ઊજવાયા હતા.
પૂ.
ગુજરાતના રાજ્યપાલે કરેલુ બહુમાન : આચાર્ય શ્રીના ૭૫ વર્ષીની ઉજવણી પ્રસંગે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં અનેરા ઉત્સવનુ આયેાજન થયુ.. તે પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી ખાસ પાલીતાણા પધાર્યાં હતા, અને પૂજ્યશ્રીનુ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. બીજે દિવસે પાલીતાણાના નાગરિકા તરફથી, પાલીતાણામાં કરેલાં ધાર્મિક, સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ સુંદર માનપત્ર અણુ કરવામાં આવ્યું હતું. બંને દિવસેામાં મહામહાત્સવપૂર્વક ઊજવાયેલા આ પ્રસંગેા જૈન ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા છે. વળી, તા. ૨૦-૨-૯૦ને દિવસે ભારતના વડા પ્રધાન શ્રી વી. પી. સિંઘે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પધારી, વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. પૂજ્યશ્રીએ વડાપ્રધાનને સુંદર ધાર્મિક ચીજો ભેટ આપી હતી.
પૂજ્યશ્રીના વ્યક્તિત્વ વિષે, તેમની પ્રવૃત્તિ અને કાર્યો વિશે, તેમના સાહિત્યસર્જન વિષે, અનેકાનેક વિષે ઘણું ઘણું. વિસ્તારથી લખી શકાય એટલી વિપુલ સામગ્રી છે. પરંતુ નાના લેખામાં તે ગાગરમાં સાગર ભરવાની વાત છે. પૂજ્યશ્રી કવિ, લેખક, મધુર વક્તા, અવધાનકાર, મંત્રમુગ્ધ કરે એવા અન્દ્રેડ મૂર્તિવિધાનના જ્ઞાતા છે. મંત્ર આદિ જુદી જુદી વિદ્યાઓના અભ્યાસી છે. બાહ્ય તેજથી પ્રકાશિત તેજસ્વી વન, જ્ઞાન અને કળાથી અંકિત સૌમ્ય દૃષ્ટિ, ગભીર અને મધુર વાણી, વિનયયુક્ત વ્યવહાર, સયમસૌરભથી મહેકતુ જીવન એ સવ` તેઓશ્રીના વ્યક્તિત્વને અજવાળતાં ઉજજવળ પાસાં છે. પૂજ્યશ્રીના આ બહુમુખી ભવ્ય વ્યક્તિત્વને ધ્યાનમાં લેતાં એક કલ્પના કરવી વધુ પડતી નથી કે માત્ર ભારતવના જ નહિ, પણ વિશ્વના એક આદર્શ સાહિત્યકલાપ્રેમી સાધુ તરીકે તેઓશ્રીને ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત કરશે. અંતમાં, પૂજ્યશ્રીની શાસનસેવા ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી અને, તેઓશ્રી સાહિત્ય અને કળાના ક્ષેત્રે અવનવાં સના કરતા રહે, તે માટે શાસનદેવ પૂજ્યશ્રીંને નિરામય દીર્ઘાયુ બન્ને એ જ અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણામાં કોટિ કોટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org