________________
શ્રમણભગવંતો-ર
૨૫૭ બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ સર્વ પ્રાન્તમાં વિહાર કરીને વિરપ્રભુના અહિંસાદિને ઉપદેશ આપ્યો હતે. હિંસકને અહિંસક, દુરાચારીને સદાચારી, સ્વચ્છેદીને સંયમી બનાવવાના ભગીરથ પ્રયત્ન કર્યા હતા. પૂજ્યશ્રી આ કાર્યોમાં અવિરત ઉત્સાહ દર્શાવતા. પ્રજાજીવનમાં અહિંસા, સંયમ, ત્યાગ, નીતિ, તપશ્ચર્યા અને સદાચારના ગુણ પ્રગટે-વિકસે તેની કાળજી રાખતા હતા.
પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય નીવડી કે આજે પણ મહાનગરોનાં મહાન જિનાલયોથી માંડીને નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધ નરનારીઓના કંઠે ગવાતી સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્ત દ્વારા એક લાખ પુસ્તક દ્વારા પ્રસારવામાં આવી છે. અને છતાં આ પુસ્તકની માંગ સતત ચાલુ જ હોય છે ! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી ‘કવિકુલકિરીટ'ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ રચેલાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ ભક્તિગીતમાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલા તે સુંદર હોય છે કે આ ભક્તિગીતના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ સંયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દષ્ટ બન્યાં ! ૫૮ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામેટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં, લેકેપગી તથા વિદ્રોગ્ય ગ્રંથનું નિર્માણ, સંકલન અને સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેક વાર અન્ય દાર્શનિકે સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યો હતે. કુશાગ્ર બુદ્ધિ, તીણ તર્કશક્તિ અને અદ્દભુત વાકચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પધીને પરારત કરતા. નરસંડામાં આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિ પૂજાની સાર્થકતા સિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દ્રાશ્રમ નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યું ત્યારે પૂજ્યશ્રીએ “વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે” એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તે અનેક સ્થળોએ વાદ-વિવાદના પ્રસંગો ઉપસ્થિત થયા હતા. અને દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો ! જેમ કવિત્વપણાથી તેમ વાદવિજયમાં પણ આઠ પ્રભાવમાં ગણના થાય છે, એ પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે.
જેનશાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર જૈનમંદિરની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપ, ઉપધાને, છ'રી પાળતા સંઘ, દીક્ષાઓ, પદપ્રદાને, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય મંગલકારી મહોત્સવ મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને તપશ્ચર્યા પૂજ્યશ્રીને ઉત્તમ ગુણ હતું. તેથી જ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાન, કવિઓ, વક્તાઓ મોટી સંખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચરી રહ્યા છે, જેમાં દક્ષિણદેશોદ્ધારક શ્રી વિજ્યલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ મોખરે છે. પૂજ્યશ્રીનું
છે. ૩૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org