________________
શ્રમણભગવંતે-૨
૧૫ શિલાના નરેશ પ્રતિબંધક સ્વપર–શાસ્ત્રરહસ્યનિષ્ણાત, સાક્ષરશિરોમણિ, આગમશાનું વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમ દ્વારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિત્યસિદ્ધ રાખવા બંને કાળમાં અરિહંત ભગવંતએ શાસનનાં મૂળમાં અમૃતને સીંચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનને પાયે દઢ કર્યો છે. અમૃતસભર મૂળને વિકસ્વર બનાવવાની અનુપમ શક્તિ સાધુજને, મહાપુરુષ અને આત્મશ્રેયસ્કરે જ પામી શકે છે અને જેઓ જન્મ ધરીને સ્વ–પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનપણાને ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે. આગમ દ્ધારક પરમ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એવી જ એક વંદનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એ પ્રાન્ત છે કે જ્યાં જૈનધર્મની તને જવલંત રાખવામાં આચાર્યશ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પરમહંત રાજવી કુમારપાળ મહારાજા આદિનું મહાન યોગદાન રહ્યું છે. એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવાસ્યા એટલે “દિવાસા ના મંગલ દિવસે એક પનોતા પુત્રને જન્મ થયે. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર.)સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી.” એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા, નયનમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણે પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિને પણ વિકાસ થતે જતા હતા. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજના આનંદ વચ્ચે તેઓ તે ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશે નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા. પરંતુ તેમને દઢ સંકલ્પ કેઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી,
છે. ૧૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org