________________
શ્રમણભગવ ંતા-૨
૧૭૯
ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા અને પૂ. મણિવિજયજી દાદાના સૌથી નાના શિષ્ય તરીકે ઘાષિત થયા. મુનિ શ્રી સિદ્ધિવિજયજીએ તે વતું ચામાસુ``તાના ગુરુ પૂ. મણિવિજયજી દાદા સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચેામાસુ પૂ રુ' થયુ. એટલામાં રાંદેરમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. શ્રી મણિવિજયજી દાદા હતા તે! માત્ર પન્યાસ જ, પણ આખા સંઘનું હિત એમના હૈયે વસ્યું હતું, એટલે સૌની ચિંતા પણ એ જ રાખતા. શ્રી રત્નસાગરજી મહારાજની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા. પણ માત્ર ચિંતા કરીને કે માહાની સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત પહોંચીને મુનિ શ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થઇ જવાની આજ્ઞા ક્રમાવી. મુનિ શ્રી સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, અને ગુરુદેવ પર અપાર પ્રીતિ ધરાવનાર હતા. વળી પૂ. મણિવિજયજી દાદાની ′મર પણ ૮૨-૮૩ વર્ષોંની; વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાના ડુંગર પણુ કચારેક કચારેક ડાલતા લાગતા હતા. આ પરિસ્થિતિમાં શ્રી સિદ્ધિ વિજયજીનું મન ગુરુજીનું સાંન્નિધ્ય છેડવા કોઈ રીતે તૈયાર ન હતું. પણ પૂ. ગુરુજીની આજ્ઞા થઇ, અને ગાજ્ઞાનુળામચિચાળીયા, અને ગુરૌલજ્ઞાનીચલી એમ શિરોધાર્ય કરીને તેએશ્રી સત્વરે સુરત શ્રી રત્નસાગરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સુરત પાસે રાંદેરમાં ચામાસુ કયુ. ભાગ્યયેાગે એ ચામાસામાં જ ( આસા સુદ આમે) પૂ. વિજયજી દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીના મનમાં પૂ. ગુરુજીના અતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયા. એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમિયાન, દીક્ષા પછીના છએક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે પૂ. ગુરુજીની એવી સાચા દિલથી સેવા કરી હતી કે આખી જિંદગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂકયા હતા અને મુનિ શ્રી સિદ્ધિવિજયજીનું શિષ્યપણું સફળ થયું હતું.
પૂ. શ્રી રત્નસાગરજી મહારાજ કઈક આકરા સ્વભાવના અને એમાં લાંબા વખતથી બીમાર એટલે સ્વભાવ વધારે આકરા થઈ ગયા હતા. છતાં મુનિશ્રી સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિથી સેવા કરીને એમનુ દિલ જીતી લીધું. તે એટલે સુધી કે, કાઇ કાંઈ વાત કરવા આવતુ' તે રત્નસાગરજી મહારાજ એમને શ્રી સિદ્ધિવિજયજી પાસે જ મેકલી આપતા. આ રીતે તેએશ્રીએ શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વર્ષ સુધી ખડે પગે સેવા કરી અને તેઓશ્રી એક આદર્શ વૈયાવચ્ચ કરનાર લેખાયા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ સુરતમાં હતા તે દરમિયાન ત્યાંના બીજા કોઈ ઉપાશ્રયમાં એક ખરતરગચ્છના મુનિ બીમાર પડી ગયા. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી એટલે એ વૈયાવચ્ચપ્રિય આત્માએ સેવાનું કાર્ય ઉપાડી લીધું. રોજ સવારે વ્યાખ્યાન વાંચે અને પછી પેલા ખરતર ગચ્છના મુનિ પાસે જાય, એમની સેવા કરે, ગોચરી વગેરે લાવી આપે; પછી પાતે ઉપાશ્રયે પાછા આવીને એકાસણું કરે. પૂ. શ્રી મણિવિજયજી દાદા પોતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત મુનિ શ્રી સિદ્ધિવિજયજીને સુરત શ્રી રત્નસાગરજીની સેવા માટે રવાના કરે અને મુનિશ્રી સિદ્ધિવિજયજી પેાતાની અનેક જવાબદારીએ છતાં એક ખરતરગચ્છના બીમાર મુનિની સેવા કરવાનુ સ્વીકારે, એ બીના એટલુ દર્શાવવા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org