________________
૧૮૨
શાસનપ્રભાવક આટલી ઉંમરે ગિરિરાજની સ્પર્શના મુશ્કેલ અને તીર્થભૂમિની નિરર્થક અશાતના થાય, એ માટે ઈન્કાર કર્યો. આટલી વાવૃદ્ધ અવસ્થાએ આટલી જાગૃતિ સૌ કેઈ ને નમન કરવા પ્રેરે તેવી છે. સમય સાચવવામાં પણ પૂ. બાપજી મહારાજ પૂરા ખબરદાર હતા. નકકી સમયે નિણત કામ કરાવવાના આગ્રહી હતા. આત્મસાધકને કાળક્ષેપ કેમ પરવડે? એમ, પૂજ્યશ્રીના ચારિત્રમાંથી અગણિત ગુણરાશિને અપનાવવા પ્રયત્ન કરવામાં જ એમના પ્રત્યેનું સાચું તર્પણ છે ! તેઓશ્રીની દીક્ષા પછી પાંચેક વર્ષે તેઓશ્રીના પત્ની, સાસુ અને સાળાએ દીક્ષા લીધી હતી. પત્ની ચંદનબહેનનું નામ સાધ્વી શ્રી ચંદાશ્રીજી મહારાજ હતું, તેમને પણ આજે ૩૦૦ સાધ્વી પરિવાર વિચરે છે. એવા કિતિની કામનાથી મુક્ત તપિવૃદ્ધ પૂ. બાપજી મહારાજના મહાન આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના !
(સંકલન : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, અમદાવાદ)
જિનશાસન પ્રત્યે પ્રેમાદર ધરાવનાર ચિરસ્મરણીય મહાપુરુષ
પૂ. આચાર્યશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ગુજરાતમાં સુરત પાસે રાંદેર નામે શહેર છે, તેમાં શ્રી વિશા શ્રીમાળી જ્ઞાતિને વિશે સધર્માનુરાગી, સુસંસ્કારી શ્રી જયચંદ નામે શ્રેષ્ઠિ સગુણથી શોભતાં ધર્મપત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમને ત્યાં સં. ૧૯૩રના મહા સુદ ૮ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાને ખૂબ આનંદ થયો. બાળકનું નામ મૂલચંદ પાડ્યું. મૂલચંદ બાળપણથી જ મહાન ગુણોને ધારણ કરનાર બન્યા. એગ્ય વયે તેમને નિશાળે બેસાડ્યા. તીવ્ર બુદ્ધિવાળા મૂલચંદ ટૂંક મુદતમાં ટ્રેનિંગ કૉલેજમાં પાસ થયા પરંતુ સદ્ગુરુદેવના બોધવચનથી તેઓ વૈરાગ્યવાન થયા અને માતાપિતા આદિ કુટુંબીજનેની સહર્ષ અનુમતિ મેળવી સં. ૧૯૫૮ના કારતક વદ ત્રા દિવસે હર્ષોલ્લાસપૂર્વક કરજણ મુકામે શ્રી તપાગચ્છનાયક સંઘ સ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી મેઘવિજ્યજી નામે ઘેષિત થયા. થોડા સમય બાદ છાણ ગામે પૂ. ગુરુદેવશ્રીને હસ્તક વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરતાં ટૂંક સમયમાં કાવ્ય, વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર આદિને ગહન અભ્યાસ કરી લીધો. ત્યાર પછી ગવહનની ક્રિયા કરીને શ્રી જિનાગમ ગ્રહણ કરવામાં ઉદ્યમવત થયા. અને અહોનિશ શાસનસેવા બજાવવામાં તત્પર બન્યા. તેઓશ્રીની દેશનામૃત એવી હતી કે જાણે કે તેમાં સાક્ષાત્ સરસ્વતી બિરાજતાં ! વિનયવંત એવા પૂજ્યશ્રીના શિષ્ય શ્રી મનેહરવિજયજી આદિ તેઓશ્રીની સેવામાં અવિરત વિચરતા રહેતા. જિનાગમને ઊંડો અભ્યાસ કરેલા એવા તેઓશ્રીને પૂ. દાદાજી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજે સ્વહસ્તે સં. ૧૯૬૯માં કારતક વદ ને દિવસે છાણ ગામે ગણિ–પંન્યાસ, બંને પદ સાથે આપ્યાં. પૈર્ય, ગાંભીર્ય,
ઔદાર્ય, બહુશ્રુતતા, સરળતા, ધર્મોપદેશકતા, શાસ્ત્રનિપુણતા આદિ અનેક સગુણોથી શોભતા પૂજ્યશ્રી અનેક પ્રદેશમાં વિચર્યા. શ્રીસંઘે ભારે ઉત્સાહ અને ઉમંગથી પ. પૂ. સંઘસ્થવિર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org