________________
શ્રમણભગવતો-ર
૨૩૫ ખાતે ખુલ્લી મુકાયેલી શ્રી મહાવીર હોસ્પિટલના વિશાળ હેલમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજની પ્રેરણાથી તૈયાર કરાયેલાં ભગવાન મહાવીરનાં જીવન-કવન અંગેનાં ભીંતચિત્રો હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ ખૂબ જ એકાગ્ર ચિત્તે નિહાળ્યાં હતાં. મનને મુગ્ધ કરનારાં સુંદર ભાવવાહી ચિત્રો અને તેની ત્રણ ભાષામાં અપાયેલ ચિત્રો વિશેની સમજૂતી પાછળ રહેલી પૂજ્યશ્રીની આગવી દષ્ટિની શ્રી દેસાઈ એ ભારેભાર પ્રશંસા કરી હતી. આ ચિત્રસંપુટનાં જ ચિત્રો ઉપરથી મુંબઈ-ઘાટકેપર-સર્વોદય હોસ્પિટલ, જયપુર વગેરે અનેક સ્થળોએ આરસનાં ચિત્રો બન્યાં છે. ઉપરાંત, કાપડ ઉપર, હાથીદાંતમાં એમ વિવિધ માધ્યમ ઉપર આ ચિત્રો બન્યાં છે. કેટલેક સ્થળે ગેલેરીઓ પણ તૈયાર થઈ રહી છે. ચિત્રસંપુટમાં આપેલાં ચિત્રો, પ્રતીકે, બેરોને ઉપયોગ સેંકડો લેકેએ વિવિધ રીતે કર્યો છે. આજે છપાતી ઘણી કંકોતરી એમાં આ પુસ્તકની બોર્ડનું અનુકરણ થાય છે તેની નોંધ કરીએ તે ઘણું લાંબી થાય.
શ્રી મહાવીર ભગવાનની ઉજવણી કમિટી ઃ ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ અંગે રાષ્ટ્રીય સમિતિમાં જૈન સમાજમાં અગ્રણીઓની સલાહ લઈને ભારત સરકારે પૂજ્યશ્રીની યોગ્યતા પિછાણને તેમની અતિથિવિશેષ તરીકે નિમણુક કરી હતી. સરકારે તેઓશ્રી સાથે સવિનય પત્રવ્યવહાર કર્યો હતે. અજાણતાં પણ જેને શાસ્ત્ર કે સંસ્કૃત વિરુદ્ધ કઈ આયોજન ન થઈ જાય તેની ભારે તકેદારી રાખી હતી. પૂજ્યશ્રીએ સરકારશ્રી પાસે અહિંસા વગેરે વિષે ઘણા કાર્યક્રમ કરાવ્યા હતા. એ વખતે દિલ્હીથી અનેક રાજદ્વારી નેતાઓ પૂજ્યશ્રીને મળવા વાલકેશ્વર-મુંબઈ આવતા હતા. જેના આગેવાને, વિદ્વાનો, સામાજિક કાર્યકરે પણ આવતા હતા. આ પ્રસંગે મુંબઈમાં જે ભવ્ય ઉજવણી થઈ તેમાં પૂજ્યશ્રીના ગુરુદેવની કૃપા વડે તેઓશ્રીને મહત્ત્વને ફાળે હતે. આકાશવાણીનાં સાત કેન્દ્રો પરથી એક વરસ સુધી ચાલે તેટલાં સ્તવને, ગીતા અને સંવાદોની રજૂઆતે માટેનું આયોજન પૂજ્યશ્રીએ કરી આપ્યું હતું. એક પુસ્તક થાય એટલી કામગીરી તે વખતે તેઓશ્રીએ કરી હતી. જેનધ્વજ અને જેનપ્રતીકનું આયોજન કરવામાં પણ પૂજ્યશ્રીએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ અને પૂજયશ્રી : તા. ૨૨–૭–૭૪ના રોજ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજના શુભ હસ્તે ભગવાન શ્રી મહાવીરની ભવ્ય મૂર્તિ અર્પણ કરવાની હોવાથી તે નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિને મુંબઈ–વાલકેશ્વર શ્રી આદિનાથ જૈન મંદિરના દર્શન કરી, ઉપાશ્રયમાં પધારતાં પૂ. ગુરુદેવની અધ્યક્ષતામાં હાથીદાંતની ભવ્ય મૂતિ, એ ઐતિહાસિક સમારંભમાં ભારે જયનાદો વચ્ચે અર્પણ થઈ હતી અને વાસક્ષેપ દ્વારા તેમણે આશીર્વાદ લીધા હતા. મુનિજીના વ્યક્તિત્વથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સમારંભમાં એસ. બી. ચૌહાણ અને શહેરની પ્રથમ પંક્તિની વ્યક્તિઓ ઉપસ્થિત હતી. બીજા દિવસે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં, રાજભવનમાં મુંબઈના ૩૦૦ અગ્રણી, જેમાં હિન્દુ, મુસલમાન, પારસી ધર્મગુરુઓ સામેલ હતા, તે સર્વની હાજરીમાં પૂજ્યશ્રીને અભિનંદન આપવા તેમ જ શાલ ઓઢાડી બહુમાન કરવાનો નિર્ણય લેવાયે હતો. પણ ખૂબ જ આગ્રહભરી વિનંતિ કરવા છતાં તેઓશ્રીએ આ સન્માન માટે અશક્તિ દર્શાવી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org