________________
૧૪૮
શાસનપ્રભાવક
નિર્ણય . આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પિતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસ કેપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્વિક ઉપદેશ આપતા ગ્રંથ, ચરિત્રગ્રંથો અને સમાચારી ગ્રંથ સાધુભગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલા પુસ્તક પર પ્રૌઢ-ગંભીર–વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ,
ગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અનેક ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલીતાણા અને તલામ (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કઠોપકંઠ ચાલી આવતી આગમ-વાચનને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. )
એવું જ બીજુ મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે આગમને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા તેમ પૂજ્ય આગમખ્રરકશ્રીએ આગમને શિત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છરી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલીતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યું કે જેનાગને આરસપહાણમાં કોતરાવાય તે કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેરાપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તે શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજ્ય તીર્થ, પાલીતાણું જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૮ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતે એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયે અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીન ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ X 8 = ૧૮૦ જિનબિંબ) સ્થાપન કરવાનું નકકી થયું. પિસ્તાલીશે ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમે છેતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી ” આદિ મહાન પ્રકરણો કેતરાયાં તે સાથે “શ્રી સિદ્ધચક ગણધર મંદિરની રચના કરવાને નિર્ણય થયે. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલ પર ચોવીસ પટેમાં તે તે તીર્થકર સહિત તેમના ગણધરે અને દેવધિ ગણી ક્ષમાશ્રમણ સુધીની પાટ પરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર ” અને “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર” તૈયાર થયાં. સં. ૧૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાને અવસર આવ્યો. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org