________________
[ ૧૦૦ / ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સ્થાન માપના ધ્રુવબિંદુ તરીકે નક્કી થયું છે. જેમ વૈજ્ઞાનિકોએ દરિયાને માપનું ધ્રુવબિંદુ બનાવી “સી-લેવલ” નામ આપ્યું તેમ જૈનશાસ્ત્રોનું લેવલ સમભતલા છે. હવે આ સમભૂતલાથી લઇને વિશ્વની ચારે દિશામાં વતતા પદાર્થો માપવામાં આવ્યા છે. એમાં સમભૂલાથી જ્યોતિષચક્ર કેટલું દૂર છે? તો જણાવ્યું કે આકાશમાં ૭૯૦ યોજન ઊંચે જઈએ એટલે પ્રથમ તારાઓનું મંડળ આવે, પછી તારાથી ૧૦ યોજન ઊંચે જઈએ એટલે સૂર્ય સૂર્યથી ૮૦ યોજન ઊંચે જઈએ એટલે ચંદ્ર, ચંદ્રથી ૪ યોજન ઊંચે નક્ષત્ર, નક્ષત્રથી ૪ યોજન ઊંચે બુધ, બુધથી ૩ યોજન ઊંચે જઈએ એટલે ગુરુ, ગુરુથી ૩ યોજન ઊંચે મંગળ, મંગળથી ૩ યોજન ઊંચે શનિશ્ચર આવે. સમગ્ર જ્યોતિષચક્ર ૭૯૦ યોજનથી શરૂ થાય. ઉપર વધતા ૯૦૦ યોજન જ્યાં પૂર્ણ થાય ત્યાં તે પૂર્ણ થાય છે, એટલે સીધી લાઇનમાં ઊંચાઇમાં માત્ર ૧૧૦ યોજન જેટલો જ નાનકડો વિસ્તાર જ્યોતિષચક્ર માટે જેનશાસ્ત્રોએ જણાવ્યો છે.
1 આ વાત અહીં એટલા માટે આપી કે હવે પછી હું વિજ્ઞાનની જરૂરી વાતો અહીં લખવાનો છું. તે વાતો જેને માન્યતાથી કેટલી બધી જુદી પડે છે, અરે ! જરાતરા પણ મેળ ખાય તેમ નથી. તેનો સચોટ ખ્યાલ આવે અને તેથી વાચકોને સમજાશે કે વિજ્ઞાનની માન્યતાઓને જૈન માન્યતા સાથે બંધબેસતી કરવાનો પ્રયત્ન કરવો તે પાણીનાં વલોણાં જેવું કે હવામાં બાચકા ભરવા જેવું લાગશે !
જેનોનું જ્યોતિષચક્ર જેબૂદ્વીપના મધ્યમાં આવેલા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું છે. સમગ્ર જ્યોતિષમંડળનું પરિભ્રમણ મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને જ ફરતું જણાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ કેન્દ્રમાં માત્ર સૂર્યને મધ્યબિન્દુ રાખી ગ્રહોનાં સ્થાન અને તેનાં અંતર વગેરે નક્કી કર્યો છે. સમગ્ર મંડળને સૂર્યમંડળ કે સૂર્યમૌલા કહે છે.
8 વિજ્ઞાન પૃથ્વીનો પરિચય શું આપે છે તે જોઈએ જ પૃથ્વીની વાત શરૂ કરી છે કે વૈજ્ઞાનિકોની દષ્ટિએ પૃથ્વી શું છે ? વૈજ્ઞાનિકોએ જે પૃથ્વી માની છે તે આપણે રહીએ છીએ તે જ પૃથ્વી છે, પણ તેમણે તે પૃથ્વી આકાશવર્તી છે, વળી તે ફરે છે અને વળી તે ગોળ છે એમ કહ્યું છે. આપણે પૃથ્વી સ્થિર છે, તે ફરતી નથી એમ માનીએ છીએ. આકાશમાં રહેલી તો આપણે માનીએ છીએ પણ વર્તમાન પૃથ્વીની સાથે જોડાયેલી પ્રથમ નરક પૃથ્વી સાથે તે આકાશમાં છે અને તે સ્થિર છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ પૃથ્વીની આકૃતિ નિશ્ચિત કરી શકાય તેમ છે જ નહીં. તેમાં બે કારણો છે.
પહેલું કારણ એ છે કે જંબુદ્વીપનું ભરતક્ષેત્ર જેનાં દક્ષિણાર્ધ ભાગમાં આપણી આ પૃથ્વી આવેલી છે એ પૃથ્વી તો ઘણી જંગી અને વિશાળ છે. અબજો વર્ષ પહેલાં શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સગર ચક્રવર્તી દક્ષિણાધભરતમાં જંબૂદ્વીપને ફરતા લવણસમુદ્રનાં જળ ભરતક્ષેત્રમાં ખેંચી લાવ્યાં, ત્યારથી પૃથ્વીની જે વ્યવસ્થા હતી તે બધી તે વખતથી જ છિન્નભિન્ન થઈ ગઈ હતી. અબજો વર્ષમાં ઘણી ઉથલપાથલો. થઈ હશે. આપણા વર્તમાન દેશનું નામ ભારત છે, પણ જૈનશાસ્ત્રમાં જંબૂદ્વીપના દક્ષિણ છેડે ભારતવર્ષ નામનું એક અબજો માઇલનું ક્ષેત્ર બતાવ્યું છે. એ ભારતની વચ્ચે વૈતાઢય નામનો પર્વત આવ્યો હોવાથી બે ભાગ પડી ગયા છે. ઉપરનો ભાગ ઉત્તરભારત અને નીચેનો ભાગ દક્ષિણભારત તરીકે ઓળખાય છે. આજની દુનિયા દક્ષિણ ભારતમાં છે એમાં આપણો ભારતદેશ આવી જાય છે. પણ વિદ્યમાન દુનિયા દક્ષિણભારતમાં ચોક્કસ કઈ જગ્યાએ માનવી તે નક્કી કરી શક્યો નથી, પણ અંદાજે મધ્યભાગથી ડાબી બાજુ તરફ વધુ છે એમ તારવણી કરી છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ પરાવર્તનશીલ અશાશ્વત મનાતી આ ધરતી પ્રમાણમાં બહુ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org