________________
૪૭૩
चारे गति आश्रयी एक समय सिद्ध संख्या विचार
સંસ્કૃત છાયાટશ રત્ના-શર્શા–વાનુબ્રાત:, વત્વા: પ-મૂ– ઋત: ર૭૪ના षट् च वनस्पतेर्दश तिर्यग्भ्यः तिर्यस्त्रिभ्यो दश मनुजेभ्यः विंशतिर्नारीभ्यः।। असुरादि-व्यन्तरेभ्यो दश पञ्च तद्देवीभ्यः प्रत्येकम् ॥२७५।। ज्योतिर्यो दश देवीभ्यो विंशतिः वैमानिकेभ्योऽष्टशतं विंशतिर्देवीभ्यः ॥२७५२।।
શબ્દાર્થ
પૂરાખોપૃથ્વી–પાણીથી
સિરિસ્થિતિમંચની સ્ત્રીથી છ -છ
તવીરો તેની દેવીથી વા વનસ્પતિથી
વિના વૈમાનિકથી ગાથાર્ય— વિશેષાર્થવતું. /૨૭૪–૨૭૫ના
વિરોણા- હવે ગત ગાથામાં જેમ “નરકગતિ’ એવો સામાન્ય શબ્દ વાપર્યો તેથી સાતે નરકનું ગ્રહણ ન થઈ જાય માટે સર્વ ભ્રમને ટાળવા આ ગાથા જણાવે છે કે– નરકશબ્દથી પ્રથમની ચાર જ લેવી તેમાં રપ્રભા, શર્કરપ્રભા અને તાલુકા પ્રભા એ ત્રણ નરકથી આવેલા મનુષ્ય થઈને એક સમયે દસ સિદ્ધ થાય અને ચોથી પંકપ્રભાથી ચાર જીવો મોક્ષે જાય છે, પરંતુ ધૂમપ્રભાદિ છેલ્લી ત્રણ નરકથી આવેલાને અનન્તરભવે સર્વવિરતિનો ઉદય થતો ન હોવાથી તેમનો નિષેધ કર્યો છે.
હવે તિર્યંચગતિમાં પણ પૃથ્વીકાય અને અપૂકાયમાંથી નીકળીને આવેલા એક સમયે ઉત્કૃષ્ટથી ચાર, તેઉ–વાઉકાય માટે તો અનન્તરભવે (૨૬૪ ગાથામાં) મનુષ્યપ્રાપ્તિનો નિષેધ જણાવેલો હોવાથી તેઓ સિદ્ધ થતા નથી, કારણકે સિદ્ધિગમન મનુષ્ય સિવાય અન્ય ગતિથી નથી. હવે વનસ્પતિકાયથી આવેલા ૬, અને (ત્રસકાયમાં) પંચેન્દ્રિય પુરુષ તિર્યંચમાંથી કે સ્ત્રી તિર્યંચમાંથી આવેલા મનુષ્ય થઈને ૧૦ જાય છે. [અહીં વિકસેન્દ્રિયથી આવેલા, માટે ભવસ્વભાવે જ સિદ્ધિપ્રાપ્તિ યોગ્ય સામગ્રી મળતી નથી, જે આગળ કહેવાશે.]
ત્રીજી મનુષગતિથી આવેલા પુનઃ મનુષ્ય થઈને ૨૦ જીવો એક સમયે મોક્ષે જાય. મનુષ્યની સ્ત્રીઓ પુનઃ મનુષ્યપણું પામી હોય તો તે પણ ૨૦ સંખ્યાએ સિદ્ધ થાય, આમાં કંઈ ખાસ ભેદ નથી.
ચોથી દેવગતિમાં વિશેષપણે ખાસ કહેતા જણાવે છે કે–અસુરકુમારાદિક ભવનપતિની દસે નિકાયથી અને વ્યન્તર નિકાયમાંથી નીકળીને આવેલા એક સમયે ૧૦ અને તે જ બન્ને નિકાયની દેવીઓ આવી મનુષ્ય થઈ સિદ્ધ થાય તો પ, જ્યોતિષી નિકાયથી આવેલાં ૧૦, અને તેની દેવીઓ આવેલી હોય તે ૨૦ અને ચોથી વૈમાનિક નિકાયથી આવેલા ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮, અને વૈમાનિકની દેવીથી આવેલા માનવો થઈને એક જ સમયે ૨૦ સિદ્ધ થાય છે. [૨૭૫].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org