Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
બૃહતસંગ્રહણી સૂત્ર–ગથાર્થ સહિત पलिअद्धं चउभागो, चउअडभागाहिगा उ देवीणं । चउजुअले चउभागो, जहन्नमडभाग पंचमए ॥७॥
વ્યંતરોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું છે. તેની દેવીનું જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. જ્યોતિષી દેવોમાં ચંદ્રનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષ સૂર્યનું એક પલ્યોપમ ને એક હજાર વર્ષ ગ્રહોનું એક પલ્યોપમ તથા તે ત્રણે ચન્દ્ર-સૂર્ય અને ગ્રહની દેવીનું પ્રથમ કહ્યું તેથી અર્ધ અર્ધ આયુષ્ય છે. નક્ષત્રનું અર્ધ પલ્યોપમ, તારાનું પા C) પલ્યોપમ, નક્ષત્રોની દેવીનું પા પલ્યોપમથી કાંઈક અધિક તથા તારાની દેવીનું પલ્યોપમના આઠમા ભાગથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ પાંચ પ્રકારના જ્યોતિષીમાં પ્રથમના ચાર દેવ-દેવી યુગલનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ તથા પાંચમા યુગલનું પલ્યોપમનો આઠમો ભાગ છે. (૨––૭)
दोसाहिसत्तसाहिय–दस चउदस सत्तर अयर जा सुक्को । इक्किक्कमहियमित्तो, जा इगतीसुवरि गेविजे ॥६॥ तित्तीसणुत्तरेसुं, सोहम्माइसु इमा ठिई जिट्ठा । सोहम्मे ईसाणे, जहन्नठिइ पलियमहिअं च ॥६॥ दो-साहिसत्तदस चउदस-सत्तर अयराई जा सहस्सारो ।
तप्परओ इक्किकं, अहियं जाऽणुत्तरचउक्के ॥१०॥
સૌધર્મ દેવલોકે બે સાગરોપમ, ઇશાન દેવલોકે કાંઈક અધિક બે સાગરોપમ, સનસ્કુમારે સાત, માહેન્દ્ર સાતથી અધિક, બ્રહ્મદેવલોકે દશ, લાંતકે ચૌદ, શુક્રમાં સત્તર, સહસ્ત્રારમાં અઢાર, ત્યારબાદ આનતથી લઈને નવમી રૈવેયક સુધી એક એક સાગરોપમ વધારતાં નવમી રૈવેયકમાં એકત્રીશ, અને અનુત્તર દેવલોકે તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હવે જઘન્ય સ્થિતિ–સૌધર્મમાં એક પલ્યોપમ, ઇશાનમાં પલ્યોપમથી કાંઈક અધિક, સનતકુમારમાં બે, માહેન્દ્રમાં સાધિક બે, બ્રહ્મમાં સાત, લાંતકમાં દશ, શુકમાં ચૌદ તથા સહસ્ત્રારમાં સત્તર સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી, ત્યારબાદ અનુત્તર દેવલોકના વિજયાદિ ચાર વિમાન સુધી એક એક સાગરોપમ એક એક દેવલોકે વધારતા જવું. એટલે વિજયાદિ ચારમાં જઘન્ય સ્થિતિ એકત્રીશની આવશે, સવથિસિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. (૮–૯–૧૦)
इगतीससागराइं, सबढे पुण जहन्नठिइ नत्थि ।। परिगहिआणियराण य, सोहम्मीसाणदेवीणं ॥११॥ पलियं अहियं च कमा, ठिई जहना इओ य उक्कोसा ।
पलियाई सत्त पनास, तह य नव पंचवन्ना य ॥१२॥
સૌધર્મની પરિગૃહીતા દેવીનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ જાણવું. ઇશાનની પરિગૃહીતાનું જઘન્ય સાધિક પલ્યોપમ તથા ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ સમજવું. સૌધર્મની અપરિગૃહીતાનું ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ તથા ઈશાન દેવલોકની અપરિગૃહીતાનું પંચાવન પલ્યોપમ પ્રમાણ આયુષ્ય જાણવું. (૧૧–૧૨).
पण छ च्चउ चउ अट्ठ य, कमेण पत्तेयमग्गमहिसीओ । असुरनागाइवंतर-जोइसकप्पदुगिंदाणं ॥१३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d27edb54135f1194d4b9177c2d0a0218ea377c401a563420358c64335adb4b08.jpg)
Page Navigation
1 ... 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042