________________
દેવોમાં પ્રવિચારપણું તથા લેસ્યા
ર૫
આયુષ્યવાળા અને છઠા લાંતક દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો છે, તેથી આગળના દેવલોકમાં કિલ્બિષિયા નથી તેમજ બારમા અમૃત દેવલોકથી આગળ આભિયોગિક દેવો નથી. (૧૭૧)
अपरिग्गहदेवीणं, विमाण लक्खा छ हंति सोहम्मे । पलियाई समयाहिय, ठिइ जासिं जाव दस पलिआ ॥१७२॥ ताओ सणंकुमारा-णेवं वटुंति पलियदसगेहिं । ના મ–સુ–ગાગાય–સારણ સેવા પન્નાસા ૧૭૨ા. ईसाणे चउलक्खा, साहिय पलियाइ समयअहिय ठिई । जा पनर पलिय जासिं, ताओ माहिंददेवाणं ॥१७४॥ एएण कमेण भवे, समयाहियपलियदसगवुडीए । लंत-सहसार-पाणय-अच्चुयदेवाण पणपन्ना ॥१७॥
સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાનો છ લાખ છે, વળી તે દેવલોકમાં પલ્યોપમથી ઉપર એક સમય અધિકથી લઈને યાવત્ દશ સાગરોપમની સ્થિતિવાળી દેવીઓ સનકુમારવર્તી દેવોના ઉપભોગ માટે, દશ પલ્યોપમથી વશ પલ્યોપમના આયુષ્યવાળી બ્રહ્મદેવલોકના દેવોના ઉપભોગ માટે, વીશ પલ્યોપમથી ત્રીશ પલ્યોપમના આયુષ્યવાળી શુક્ર દેવલોકના દેવા માટે, ત્રીશથી ચાલીશ પલ્યોપમના આયુષ્યવાળી આનત દેવલોકના દેવા માટે, અને ચાલીશથી પચાસ પલ્યોપમના આયુષ્યવાળી આરણ દેવલોકવર્તી દેવોના ઉપભોગ માટે છે. હવે ઈશાન દેવલોકમાં અપરિગ્રહીતા દેવીના ચાર લાખ વિમાનો છે, એમાં જે દેવીઓની સાધિક પલ્યોપમની આયુષ્ય સ્થિતિ છે તે તો ઇશાન દેવને ભોગ્ય છે, તેથી આગળ સમયાદિથી લઈને યાવત્ પંદર પલ્યોપમની આયુષ્યવાળી માહેન્દ્રભોગ્ય, તેથી આગળ થાવત્ ૨૫ પલ્યોપમ સુધી લાંતકદેવ ભોગ્ય, તેથી આગળ ચાવત્ ૩૫ પલ્યોપમ સુધી સહસ્ત્રાર દેવભોગ્ય, ત્યાંથી વધુ આગળ ૪૫ પલ્યોપમ સુધી પ્રાણત દેવભોગ્ય અને ત્યાંથી સમયાદિ વધતા વધતા યાવત્ પપ પલ્યોપમ સુધીની આયુષ્યવાળી દેવીઓ અશ્રુત દેવલોક ભોગ્ય હોય છે. (૧૭૨–૧૭૩–૧૭૪–૧૭૫)
વિજ્ઞાનીના–તેર–ઠ્ઠા ૨ સુરા भवणवण पढम चउले–स जोइस कप्पटुगे तेऊ ॥१७६॥ कप्पतिय पम्हलेसा, लंताइसु सुक्कलेस टुति सुरा ।
कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७॥
કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ અને શુક્લ એ છ વેશ્યાઓ છે, ભવનપતિ તથા વ્યન્તર દેવોને પ્રથમની ચાર વેશ્યાઓ, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાનમાં તેજોવેશ્યા, ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા તેમજ લાંતકથી સવથ સિદ્ધ સુધી સર્વત્ર શુકુલ વેશ્યા હોય છે. પહેલા બે દેવલોકના દેવોના શરીરનો વર્ણ સુવર્ણ સરખો, ત્રીજા ચોથા અને પાંચમા દેવલોકના દેવોનો વર્ણ ગૌર અને તેથી ઉપરના સર્વ દેવોનો વર્ણ ઉજ્જવલ હોય છે. (૧૭૬–૧૭૭)
दसवाससहस्साइं, जहन्नमाउं धरति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहिं थोवेहिं ऊसासो ॥१७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org