________________
૬૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તો જેના ઉત્તરે હવે કોઈ પણ જાતનું વિશિષ્ટ પૌલિક સુખ નથી અથતિ એ દેવલોકથી આગળ કોઈ પણ જાતના પૌદ્ગલિક સુખનો વધુ આસ્વાદ વર્તતો નથી. તેથી તે દેવલોક અનુત્તર દેવલોક તરીકે ઓળખાય છે.
તે “અનુત્તર દેવલોકના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ એકત્રીશ સાગરોપમની છે. પરંતુ પાંચમા સવથિસિદ્ધ નામના વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ નથી, એ તે સ્થાનના વિશિષ્ટ પ્રભાવસૂચક છે.
સવર્થસિદ્ધ વિમાનના દેવોને સિદ્ધાન્તકારોએ નિશ્ચયથી એકાવતારી જણાવેલા છે. [૯–૧૦–૧૦]
અવતરણ –હવે વૈમાનિક દેવીઓ કેટલી જાતની ? તથા તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય-સ્થિતિ કેટલી ? તે કહેવાય છે –
પરિદિગાગિયરાળ ૧, સીદીસા–રેલી છે? पलियं अहियं च कमा, ठिई जहन्ना इओ य उक्कोसा । पलियाई सत्त-पन्नास, तह य नव पंचवन्ना य ॥१२॥
સંસ્કૃત છાયા :परिगृहीतेतराणां च, सौधर्मेशानदेवीनाम् ॥११॥ पल्यमधिकञ्च क्रमात्, स्थितिर्जघन्या इतश्चोत्कृष्टा । पल्यानि सप्त-पञ्चाशत्, तथा च नव पञ्च–पञ्चाशच्च. ॥१२॥
શબ્દાર્થ :પરિહિમાપરિગૃહીતા
રૂષો અહીંથી વળી ફરજિગ્નપરિગૃહીતા.
પન્નાસ-પચાસ સોદWીસાગ=સૌધર્મ તથા ઇશાન દેવલોકની. તત્તેમજ શ્રમ અનુક્રમે
પંડ્યાઃપંચાવન ૯૯, અથવા અનુત્તર એટલે ‘વિઘાનમુત્યુ વિમાનાદ્ધિ ચેષાં તેડનારા:' એટલે કે વિદ્યમાન નથી અન્ય વિમાનાદિ જેના ઉત્તરે તે અનુત્તર. અથવા બાહ્યસુખની અપેક્ષાએ જેનાથી શ્રેષ્ઠ સ્થાન ચૌદ રાજલોકમાં બીજું નથી. ચૌદરાજલોકમાં સંસારી જીવની અપેક્ષાએ સર્વોત્તમ આયુષ્યને ધારણ કરનાર સ્થાન તે જ છે ને ઊંચામાં ઊંચો દેવલોક પણ એ જ છે માટે અનુત્તર કહેવાય છે.
૧00. પ્ર. તત્ત્વાર્થસૂત્રના અ. ૪. સૂ. ૪૨નું ભાષ્ય સવથસિદ્ધના દેવોની જઘન્ય સ્થિતિ ૩૨ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની એમ બંને પ્રકારે કહે છે. અને એ વાત સિદ્ધાંતકાર સાથે મળતી નથી, તેથી જ ટીકાકાર શ્રીસિદ્ધર્ષિજીએ પણ ત્યાં સવાલ ઉઠાવ્યો છે. સત્ય શું છે? તે તો જ્ઞાનીગમ્ય છે. બાકી સિદ્ધાન્તકાર તો સર્વાર્થસિદ્ધની અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગ.ની એક જ સ્થિતિ કહે છે.
प्र.-'सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता? उ.-गोयमा! अजहन्नमणुक्कोस तेत्तीसं सागरोवमाई ठिई पन्नत्ता ।।
પિન્નવણા સૂત્ર પદ ૪. સૂ. ૧૦૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org