________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨
કલશામૃત ભાગ-૩ તો પછી કર્મનો અભાવ થયો – કર્મનો નાશ થયો માટે અહીંયા શુદ્ધ પરિણતિ થઈ તેમ નથી. શુદ્ધ પરિણતિનો આત્મા કર્તા અને જે ધર્મના શુદ્ધ પરિણામ થયા તે કાર્ય છે. તેમ કહેવું તે પણ ઉપચાર છે. કેમ કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે કર્તા કર્મ કહેવું તે ઉપચારનું કથન છે. સમજમાં આવ્યું?
આહાહા! આત્મા શરીર, વાણી શેયનો તો કર્તા નથી, તે આપણે પરિણમ્ય પરિણામકત્વ શક્તિમાં આવી ગયું છે. તેનો અર્થ આત્મા પરશેયોને જાણવાના સ્વભાવવાળો છે. શેયાકારોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ છે. પછી તે પરદ્રવ્યમાં અરિહંત હો કે પંચ પરમેષ્ઠી હો કે અનંત નિગોદના જીવ હો તેનું પોતાના પ્રમાણજ્ઞાનમાં ગ્રહણ કરવાનો જેનો સ્વભાવ છે અર્થાત્ જાણવાનો સ્વભાવ છે. પરદ્રવ્યને કરવાનો સ્વભાવ નથી. પરદ્રવ્યથી પોતાનામાં જ્ઞાન થાય છે તેનો કર્તા પરદ્રવ્ય તેમ પણ નહીં. પોતાનો સ્વભાવ પરશેયોને જાણવાનો છે તે પ્રમાણ છે.
પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. પરિણમ્યનો અર્થ પ્રમાણ અને પરિણામકત્વનો અર્થ પ્રમેય થવું. પોતાનો સ્વભાવ પરશેયોને ગ્રહણ કરવાનો- જાણવાનો છે અને પોતાનો સ્વભાવ પરને જ્ઞાનમાં ગ્રહણ કરવાનો છે. જ્ઞાની પરમાત્મા અથવા શ્રુતજ્ઞાનીને શ્રુતજ્ઞાનમાં- મતિજ્ઞાનમાં પોતાનો આત્મા પ્રમેય થઈને પોતાના પ્રમાણજ્ઞાનમાં જાણવા લાયક છે. પરને પ્રમેય તરીકે ગ્રહણ કરાવવા લાયક છે. અને પરને ગ્રહણ કરવા લાયક છે. સમજમાં આવ્યું?
અહીં કહે છે- અશુદ્ધ- શુદ્ધ પરિણતિ તે પણ પોતાનું કાર્ય છે. એ પોતાનો આત્મા કર્તા છે તેમ કહેવું તે પણ ઉપચાર- વ્યવહાર થઈ ગયો. આત્મા પરનો કર્તા તો છે જ નહીં. પરથી પોતાનામાં કેવળ જ્ઞાનની શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે તે વાત તો છે જ નહીં.
આહાહા! ક્રમબદ્ધના નિર્ણયનો સાર તો વીતરાગતા છે. ક્રમબદ્ધ કહેવામાં પણ વીતરાગતા કહેવી છે. તો એ વીતરાગતા ક્યારે થાય? સ્વદ્રવ્યના આશ્રયથી થાય છે. જિનની આજ્ઞા તો એ છે કે- ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. સમયસાર ૧૧ ગાથામાં કહ્યું- “મૂલ્યમત્સવો સમ્માવિઠ્ઠી વતિ નીવો” જે સત્યાર્થ પૂર્ણાનંદ પ્રભુ છે તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. તેનો આ અર્થ છે. ભગવાનની આજ્ઞા જે ક્રમબદ્ધનો નિર્ણય કરાવવાની છે તેમાં વીતરાગતા બતાવવી છે. અને આ વીતરાગતા સ્વદ્રવ્યના આશ્રયથી પ્રગટ થાય છે. વીતરાગતા પરદ્રવ્યના આશ્રયથી પ્રગટ થતી નથી. પરદ્રવ્યના આશ્રયે તો પરાશ્રિત વ્યવહાર પ્રગટ થાય છે. નિશ્ચય સ્વાશ્રિત અને વ્યવહાર પરાશ્રિત છે.
તે વ્યવહારમાં પંચપરમેષ્ઠી હો કે અનંતાનિગોદના જીવ હો તે પરદ્રવ્ય છે. નિગોદના જીવ બતાવ્યા અને તે નિગોદના જીવોની દયા પાળવા લાયક છે એવા કારણથી બતાવ્યું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com