________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૨
૨૯૭ પ્રગટ કરે છે. મને આવો ભાવ આવ્યો હતો તેમ સરળતાપૂર્વક ગુરુ પાસે ખુલ્લું કરે છે તેવા મુનિને આર્જવધર્મ હોય છે.
પોતાના દોષોને ન છૂપાવે, બાળકની જેમ સરળતાથી કહે તેને ઉત્તમ આર્જવધર્મ હોય છે. પોતાના દોષોનો બચાવ જ કરે, અને એવા કારણથી મારે આવું કાર્ય કરવું પડ્યું તેમ કહે નહીં. શુભભાવ આદિ, અશુભભાવ આદિ બન્ને દોષનું જ કારણ છે તેને ગુરુ પાસે સરળતાથી જાહેર કરે છે. પોતાની વક્રતા રાખે નહીં તેનું નામ સમ્યગ્દર્શન સહિત ઉત્તમ સરળતા કહેવામાં આવે છે. હવે ચાલતો વિષય.
ગણધર દેવે એવું માન્યું છે.”શું માન્યું છે? વ્રત-તપ-નિયમ-શીલ એ બધું બંધનું કારણ છે. તેમ ગણધરદેવે કહ્યું છે. “શા કારણથી કહ્યું? “વા સમસ્તે સ્વયં વન્ધહેત: નિશ્ચયથી સર્વ કર્મજાતિ પોતે પણ બંધરૂપ છે.” જેમ અશુભભાવ-કર્મ જાતિ બંધરૂપ છે તેમ વ્રત-નિયમ-શીલ- તપ એ કર્મની જાત બંધરૂપ છે. બહુ આકરો માર્ગ બાપુ !
ભાવાર્થ આમ છે કે- પોતે મુક્ત સ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે;” પરંતુ શુભભાવ તો બંધ સ્વરૂપ છે તે મુક્તિને કેવી રીતે કરે? શુભભાવમાં વ્રત-તપનિયમ આદિ બંધરૂપ છે. તો જે બંધરૂપ છે તે મુક્તિને કેવી રીતે કરે? મુક્તસ્વરૂપ હોય તે મુક્તિને કરે. ભગવાન આત્મા શુભ અશુભ ભાવથી રહિત મુક્તસ્વરૂપ છે. આ આત્મા જે અંદર છે તે મુક્તસ્વરૂપ જ છે. તે રાગ અને બંધથી તદ્ન મુક્તસ્વરૂપ જ છે. તે મુક્તિને કરે; પરંતુ જે બંધરૂપ છે તે મુક્તિને કેવી રીતે કરે? આહાહા ! ઝીણી વાતું છે.
પ્રશ્ન:- કદાચિત મુક્તિને કરે તેનો અર્થ શું?
ઉત્તર:- કદાચિત્ મુક્તિને કરે એમ કહ્યું ને! મુક્તિ થઈ તો મુક્તિને કરે એમ ! મુક્ત સ્વરૂપ હો તે મુક્તિને કરેઃ “કદાચિત્' એમ શબ્દ છે ને? કદાચિત્ એટલે મુક્ત સ્વરૂપ છે તે કદાચિત્ મુક્તિને કરે. એમ! (આત્મા) કદાચિત્ મુક્તિને કરે પણ જે બંધસ્વરૂપ છે તે કદાચિત્ મુક્તિને કેવી રીતે કરે? આમ કહેવું છે. સમજમાં આવ્યું?
કદાચિહ્નો અર્થ બંધમાં તો મુક્તિ છે જ નહીં, પરંતુ મુક્ત સ્વરૂપ જે ભગવાન છે, તેનો અંતર આશ્રય ધ્યે તો કદાચિત મુક્તિને કરે. ભગવાન આત્મા અંદર જે અબદ્ધ સ્પષ્ટ છે. સમયસાર ૧૪-૧૫ ગાથામાં આવ્યું છે- નો પરિ ગપ્પાઅવદ્ધપુદું” કર્મ અને રાગના સંબંધથી રહિત દેખે આત્માને તેને અબદ્ધ-સ્કૃષ્ટમ્ દેખાય છે. જે આત્માને મુક્ત દેખે તેણે જૈન શાસન દેખ્યું. ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો ગરબડ એવી થઈ ગઈ કે- લોકોને મુશ્કેલ પડી ગઈ. અહીં તો કહે છે- મુક્ત સ્વરૂપ હો તો કદાચિત્ મુક્તિ ને કરે એમ; પરંતુ જે બંધ સ્વરૂપ હોય એ કદાચિત્ અર્થાત્ કોઈ દિવસ મુક્તિને ન કરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com