________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬
કલશાકૃત ભાગ-૩ (૧) પોતાના જ્ઞાન સ્વભાવનું જ્ઞાન થયું તે અપેક્ષાએ રાગ જ્ઞાનમાં પર શેય થયું. (૨) સમ્યક દૃષ્ટિને... દૃષ્ટિની અપેક્ષાએ રાગને નિર્જરાનું કારણ કહ્યું
(૩) ચારિત્રની અપેક્ષાએ એ રાગને બંધનું કારણ ઝેર કહ્યું. સાધક જાણે છે કે મારા ચારિત્રમાં આટલી ખામી છે.
“તાવર્મજ્ઞાનસમુદાય: પિ વિદિત:,” ત્યાં સુધી ક્રિયારૂપ પરિણામ અને આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું એક જીવનું એક જ કાળે અસ્તિત્વપણું છે, એવું પણ છે,” શું કહે છે? વ્રતાદિના, પૂજા-ભક્તિ આદિના અને આત્મદ્રવ્યનું શુદ્ધત્વ પરિણમન તે બન્નેનું એક જ જીવમાં એક જ સમયે હૈયાતિપણું છે. ભગવાન આત્મા ! તેનું શુદ્ધ સ્વરૂપનું શુદ્ધત્વરૂપનું પરિણમન પર્યાયમાં છે ત્યારે રાગાદિની અશુદ્ધતા પણ છે. એક જ જીવમાં એક જ કાળે બન્નેની અસ્તિ છે.
બીજી જગ્યાએ શાસ્ત્રમાં એમ પણ કહ્યું હોય કે સમ્યગ્દષ્ટિને એકલા શુદ્ધ જ પરિણામ છે. તેને અશુદ્ધ પરિણામ છે જ નહીં. એ કઈ અપેક્ષાએ કહ્યું છે? ત્યાં શુદ્ધ પરિણામને જ (સ્વયમાં) ગણવામાં આવ્યા છે. કેમ કે દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે. તેનો અનુભવ થયો તો તેનું પરિણમન શુદ્ધ છે. એટલા જ પરિણમનને દ્રવ્યનું પરિણમન ગણવામાં આવ્યું છે. અશુદ્ધ પરિણામ થયા તે આત્માના દ્રવ્ય-ગુણના પરિણામ નથી. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને અશુદ્ધ પરિણામ છે જ નહીં તેમ કહેવામાં આવ્યું છે. સમાજમાં આવ્યું?
એમ કે સમ્યગ્દષ્ટિને દુઃખ છે જ નહીં. પરંતુ તે કઈ અપેક્ષાએ ભાઈ ! પોતાના આનંદ સ્વરૂપની મુખ્યતામાં દુઃખના પરિણામ છે તેને ગૌણ કરીને, તેની અલ્પબંધની સ્થિતિને ન ગણતાં. સમ્યગ્દષ્ટિને દુઃખ છે જ નહીં તેમ કહેવામાં આવ્યું છે. જયારે ચારિત્રની અપેક્ષાએ વર્ણન આવે ત્યાં.... શુભભાવને બંધનું કારણ કહ્યું છે. ( રાગ છે તે દુઃખ છે તેમ કહેલ છે.) સ્તવનમાં આવે છે કે“લાગી લગની હમારી જિનરાજ... (૨)
સુજસ સુનો મેં પ્રભુ તેરા જસ જાગ્યા મેરા, મૈ આનંદ શુદ્ધ ચૈતન્યધન હું.
લાગી લગની હુમારી જિનરાજ... કાહુ કે કહે, કબડું ન છૂટે,
લોક લાજ સબ ડારી, જૈસે અમલી અમલ કરત...
હમે લાગ રહી જો ખુમારી.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com