________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮
કલશામૃત ભાગ-૩ અહીંયા તો કહે છે – રાગનો સ્વામી થાય છે તે મિથ્યાષ્ટિ છે. વ્રત-તપ આદિનો જે વિકલ્પ ઊઠે છે તેનું સ્વામીપણું છે એ મિથ્યાષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને રાગનું સ્વામીપણું નથી. તેને રાગ આવ્યા વિના રહેતો પણ નથી અને તેને રાગનું સ્વામીપણું પણ નથી. વ્રતના, પૂજાના, ભક્તિના ભાવ જ્ઞાનીને હેય બુદ્ધિએ આવે છે. હેય બુદ્ધિએ આવે છે તો પણ તે બંધનું કારણ છે. રાગ થોડોક પણ આત્માને લાભદાયક છે તેમ જ્ઞાની માનતો નથી. આ જાતનો ઉપદેશ જ નથી. ઉપદેશ વિપરીત થઈ ગયો છે. સમાજને ધમાધમ ગમે છે.
તાવત્વવર્મજ્ઞાનસમુચ્ચય: પિ વિડિત: (તાવ) ત્યાં સુધી (કર્મ) ક્રિયારૂપ પરિણામ અને (જ્ઞાન) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું (સમુન્વય:) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (પિ વિદિત:) એવું પણ છે; પરંતુ એક વિશેષ - “જિત ક્ષતિ: ન” કોઈ પણ હાનિ નથી.
કઈ અપેક્ષાએ હાનિ નથી? નિર્મળ પર્યાય છે ને રાગાદિની પર્યાય છે. રાગાદિની પર્યાય નિર્મળ પર્યાયને નુકશાન કરતી નથી. પણ નિર્મળતા વિશેષ પ્રગટ થવામાં નુકશાન કરે છે. વર્તમાન નિર્મળ પ્રગટ પર્યાય છે અને મલિન પર્યાય તે બન્ને એક સાથે જ છે. જેમ મિથ્યાષ્ટિપણું અને સમ્યગ્દષ્ટિપણાને તો વિરોધ છે; તેમ આ બન્ને ક્રિયામાં વિરોધ નથી.
શું કહ્યું? જેમ રાગ મારો છે એવું મિથ્યાષ્ટિપણું અને રાગ મારો નથી તેવું સમ્યગ્દષ્ટિપણું તે બન્ને એક સમયમાં રહી શકતા નથી. મિથ્યાદેષ્ટિપણું અને સમ્યગ્દષ્ટિ પણું બન્ને એક સમયમાં એક સાથે રહી શકતા નથી. પરંતુ આ બન્ને એક સમયમાં રહી શકે છે. આહાહા ! ન્યાય સમજમાં આવે છે?
પ્રશ્ન:- બન્ને વાતમાં શું તફાવત છે?
ઉત્તર:- તેમાં આ તફાવત છે. જે સમયે દેષ્ટિમાં મિથ્યાત્વ છે તે જ સમયે સમ્યગ્દર્શન હોય તેવું ત્રણ કાળમાં હોતું નથી. પરંતુ જે સમયે નિર્મળ પરિણતિ છે, તે સમયે મલિન પરિણતિ છે તેમાં વિરોધ નથી, સમજમાં આવ્યું?
વીતરાગનો માર્ગ તો જુઓ! પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ત્રણ ગાથાનું ઝુમખું છે, તેમાં એમ આવે છે કે- (૧) જેટલા અંશે આ રાગ તેટલા અંશે બંધ. (૨) જેટલા અંશે સમ્યગ્દર્શન તેટલા અંશે અબંધ.
આહાહા ! જેટલા અંશે સમ્યગ્દર્શન જ્ઞાન છે તેટલો અંશ અબંધનું કારણ છે. ત્યાં જેટલા અંશે રાગ છે તે બંધનું કારણ છે. હવે આમાં એકાંત તાણે કે સમ્યગ્દષ્ટિને બિલકુલ બંધ છે જ નહીં અને વ્રત તપ કરવાવાળાને શુભભાવ મોક્ષનું કારણ છે તે બધું વિરૂદ્ધ નામ વિપરીત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com