________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૪
૩૦૭ “આમૂલ” મૂળમાંથી શુભભાવને છોડી દીધાં, વ્રત-તપ તે વ્યવહારે થોડા પણ સાધન છે? એ સાધન છે જ નહીં.
આ શેઠ પણ બધા સાધુને માખણ ચોપડતા હતા. આહાર શુદ્ધ, પાણી શુદ્ધ, પરંતુ બનાવ્યા હોય તેને માટે છતાં આહારશુદ્ધ, પાણીશુદ્ધ, વચનશુદ્ધ, મનશુદ્ધ, કાયશુદ્ધ. બધુંય જૂઠું છે. આ બન્ને આ બન્ને શેઠિયા બેઠાં છે. આહાર-પાણી-મોસંબીનો રસ બનાવ્યો હોય તેના માટે તો પછી આહાર શુદ્ધ ક્યાંથી લાવ્યા? પાણી એના માટે બનાવ્યું હોય અને પાણી શુદ્ધ ક્યાંથી લાવ્યા?
શ્રોતા:- કુવામાંથી
ઉત્તર- અહીં તો ભગવાન આત્મા અમી રસ કૂપો છે. “ગગન મંડળમેં અધબીચ કુવા,” આલંબન વિનાનો અંદરમાં (આત્મા) પડ્યો છે. જેને શરીરનો કે આકાશનો પણ આધાર નથી તેવો અમૃતનો કૂવો અંદરમાં પડ્યો છે. ત્યાં “અમીકા વાસા” તાં અમૃત પડ્યા છે. પરંતુ.. માખણ હતું તે વિરલાને મળ્યું અને છાશે જગત ભરમાયું. દયા-દાન-વ્રત-સંયમની ક્રિયામાં જગત ભરમાઈ ગયું- મિથ્યાષ્ટિઓ. આવો મારગ પ્રભુ! આ ઉપદેશ તો અનાદિનો છે એમ કહે છે. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત મુનિઓ આ ઉપદેશ કરતા, કરે છે અને કરશે.
“વ્રત-સંયમ-તપરૂપ ક્રિયા અથવા શુભ ઉપયોગરૂપ પરિણામ”, વ્રત-તપસંયમ એ ક્રિયા સુકૃત અથવા એ ક્રિયા જડની તે બહારની અથવા શુભ ઉપયોગરૂપ પરિણામ બે પ્રકારના લેવા. વ્રત-સંયમ–તપ ક્રિયા શરીરની અને શુભોપયોગ જીવના પરિણામ. પહેલાં (સુકૃત) હતું હવે (તુરિતે)
(રિતે) વિષય-કષાયરૂપ જડની ક્રિયા અથવા અશુભ ઉપયોગરૂપ સંકલેશ પરિણામ એવાં કાર્યરૂપ મોક્ષમાર્ગ નથી.” (નિષિદ્ધ) મુનિઓ અને ધર્મી જીવ તેને મોક્ષમાર્ગ માનતા નથી. “નિર્નર્સે પ્રવૃર્ત” (નિ) નિશ્ચયથી (નૈન્વે) સૂક્ષ્મ-સ્કૂલરૂપ અંતર્જલ્પ-બહિર્શલ્પરૂપ સમસ્ત વિકલ્પોથી રહિત,” કહેવું તો નિષ્કર્મ છે. તેથી નિષ્કર્મની વ્યાખ્યા કરી. સૂક્ષ્મ અને સ્થૂળરૂપ અંતર્જલ્પ વિકલ્પ અર્થાત્ ગુણગુણીના ભેદરૂપી વિકલ્પ તેને અંતર્જલ્પ કહ્યું. બાહ્ય સ્થૂલ જલ્પ અર્થાત્ બહિર્શલ્પ વિકલ્પોથી રહિત “નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમાત્ર પ્રકાશરૂપ વસ્તુ મોક્ષમાર્ગ છે.” રાગ વિનાની નિર્વિકલ્પ વસ્તુ, ચૈતન્યમાત્ર પ્રકાશરૂપ વસ્તુ એવો મોક્ષમાર્ગ છે.
એવું-એકરૂપ એવો જ છે એવું-નિશ્ચયથી ઠરાવતા થા, “વલુ મુન: શTI: ન સ”િ ખરેખર, સંસાર-શરીર-ભોગથી વિરક્ત થઈ ધારણ કર્યું છે યતિપણું જેમણે.” સંસાર, ઉદયભાવ ભોગોથી વિરક્ત થઈને ધાર્યું છે યતિપણું જેણે (31શRTI: ન સન્તિ) તે અશરણ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com