Book Title: Kalashamrut Part 3
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 380
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ કલશામૃત ભાગ-૩ ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ! જેનો સ્વભાવ જ્ઞાન છે એવા જ્ઞાન સ્વભાવનો આશ્રય કરીને જે જ્ઞાન પ્રગટ થયું તેને જ્ઞાન કહે છે. એ જ્ઞાન મોક્ષનું કારણ છે. એ જ્ઞાનમાં સહુજ દર્શન–જ્ઞાન ને ચારિત્ર ગર્ભિત છે. અરે... વીતરાગદેવ, સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં માર્ગ તો આ છે. સમયસાર પંદરમી ગાથામાં કહ્યું ને! જે કોઈ પોતાના આત્માને અબદ્ધ-સ્કૃષ્ટ દેખે, સામાન્ય દેખે, રાગ દ્વેષથી અબદ્ધને નિશ્ચયથી ભિન્ન દેખે.. તેને સર્વ જિનશાસન દેખ્યું. “નો પસ્સક્રિપ્પા મવદ્ધપુÉ” જેણે આત્માને અબદ્ધ દેખ્યો છે તેની વાત છે. શાસ્ત્ર ભણ્યા ન ભણ્યા એની વાત અહીંયા છે નહીં. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપે છે તેને અહીંયા અબદ્ધ કહ્યું છે. રાગથી બંધાયો નથી, તે મુક્ત છે. જેણે અબદ્ધને સ્પષ્ટ દેખ્યો તેણે સર્વ જિનશાસનને દેખ્યું છે. રાગથી ભિન્ન દેખ્યું તેણે જિનશાસન દેખ્યું છે. રાગ સહિત આત્માને દેખે તેને કલ્યાણ થાય તે જિન શાસનમાં છે નહીં. “તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે.” જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યું તેમાં દોષ નથી પરંતુ ગુણ છે. તેમાં ગર્ભિતપણે ચારિત્ર આદિ આવી જાય છે. પ્રવચન નં. ૧૦૫ તા. ૨૫-૯-'૭૭ પર્યુષણનો આજે નવમો દિવસ છે. આકિંચન્ય ધર્મ. કોઈ મારું નથી. રાગ અને રજકણ પણ મારી ચીજ નથી. અહીંયા તો મુનિની મુખ્યતાથી વાત કરે છે. “तिविहेण जो विवज्जदि, चेयणमियरं च सव्वहा संगं। लोयववहारविरदो, एिग्गंथतं हवे तरस।। આહાહા ! મુનિ તો સમ્યગ્દષ્ટિ અંતર અનુલક્ષી હોય છે. એ ઉપરાંત તેમને સ્વરૂપમાં ચારિત્રની રમણતા પ્રગટ થઈ છે. તેમાં આકિંચ ધર્મ કેવો હોય છે. તે વાત ચાલે છે. જે મુનિ લૌકિક વ્યવહારથી વિરક્ત છે. અરે ! અંદરમાં જે ક્રિયાકાંડનો વિકલ્પ ઊઠે છે તેનાથી પણ વિરક્ત છે. ઝીણી વાતો છે. યનિયાં સળંદા સં” ચેતન અને અચેતનકૃત જે સર્વ પરિગ્રહ છે તેનું મમત્વ છોડી છે. ચેતનમાં પોતાના શિષ્યનો સંગ, વસ્તી અને અચેતનમાં શાસ્ત્ર, આદિ ઉપકરણ તેમનું પણ તેમને મમત્વ છે નહીં. મારી ચીજ તો આનંદસ્વરૂપ છે. હું ભગવાન પૂર્ણાનંદ છું. એમાં પેલી ચીજનો ત્રિકાળમાં સંબંધ નથી. આ રીતે અંતરમાં મન, વચન અને કાયાથી કૃત-કારયિતા અને અનુમોદનથી છોડું છું. મનથી, વચનથી કાયાથી, કૃત-કારયિતા અને અનુમોદનથી છોડે છે તે મુનિનું નિગ્રંથપણું છે. મુનિ અન્ય પરિગ્રહ તો છોડે જ છે, કેમ કે તેમને વસ્ત્ર- પાત્ર તો હોતા જ નથી. ભાવલિંગી સંત જેને અંતરમાં પ્રચુર આનંદના સ્વસંવેદનપૂર્વક દશા પ્રગટ થઈ છે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451