________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
કલશામૃત ભાગ-૩ પુણ્ય-પાપ અધિકાર
(દ્ભતવિલંબિત) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन। ग्लपितनिर्भरमोहरजा अयं
સ્વયમુદ્દેત્યવવો સુધાર્ણવ: || -૬૦૦ના ખંડાન્વય સહિત અર્થ:- “યં ગવવો સુધાસ્તવ: સ્વયમ ૩તિ” (ય) વિદ્યમાન (અવલોપ) શુદ્ધજ્ઞાનપ્રકાશ, તે જ છે (સુધાસ્તવ:) ચંદ્રમા, તે (સ્વયમ હતિ) જેવો છે તેવો પોતાના તેજ:પું જ વડે પ્રગટ થાય છે. કેવો છે? “રતિનિર્મરોહ૨ના” (તિ) દૂર કર્યો છે (નિર્મા) અતિશય ગાઢ (મોહરના) મિથ્યાત્વ-અંધકાર જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે-ચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે, શુદ્ધજ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વપરિણમન મટે છે. શું કરતો થકો જ્ઞાનચંદ્રમા ઉદય પામે છે? “સથ તત્વ વર્મદેવયં ઉપનિયન”(અથ) અહીંથી શરૂ કરીને (તત ફર્મ) રાગાદિ અશુદ્ધચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું (Bયમ ઉપનિયન) એકત્વપણું સાધતો થકો. કેવું છે કર્મ? “કિતયતાં તમ” બે-પણું કરે છે. કેવું બે-પણું? “શુમાશુમેવત:”(શુભ) ભલું (પશુમ) બૂરું એવો (મેવત:) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ મિથ્યાષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અને શુભ ક્રિયાને અનુસાર છે તે-રૂપ જે શુભોપયોગપરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ-આદિથી માંડીને પુણ્યરૂપ પુદ્ગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે; હિંસા-વિષય-કષાયરૂપ જેટલી છે ક્રિયા, તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ સંકલેશપરિણામ, તે પરિણામોના નિમિત્તથી થાય છે જે અશાતાકર્મ-આદિથી માંડીને પાપબંધરૂપ પુદ્ગલપિંડ, તે બૂરાં છે, જીવને દુ:ખકર્તા છે. આવું કોઈ જીવ માને છે તેના પ્રતિ સમાધાન આમ છે કે-જેમ અશુભકર્મ જીવને દુઃખ કરે છે તેમ શુભકર્મ પણ જીવને દુઃખ કરે છે. કર્મમાં તો ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને મિથ્યાષ્ટિ જીવ કર્મને ભલું કરીને માને છે. આવી ભેદપ્રતીતિ શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો ત્યારથી હોય છે. ૧-૧OO.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com