________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
કલશામૃત ભાગ-૩ પ્રભુ અંદર ચૈતન્યનો નાથ બિરાજે છે. ચૈતન્ય સ્વભાવથી ભરેલો ભગવાન છે. એ ચૈતન્યને જગાડી ચૈતન્ય પર્યાય પ્રગટ કરે તે જ્ઞાનચેતના. આ રાગતો કર્મચેતના છે, શુભભાવ એ તો કર્મચેતના છે અને તે બંધનું કારણ છે. આહાહા ! અત્યારે એ જ બધે ચાલે છે. સ્થાનકવાસીમાં, દહેરાવાસીમાં અને દિગમ્બરમાં, અરે! ઓહોહો! આમ છે ને તેમ છે. આ ઉપવાસ કરે છે, આઠ ઉપવાસ કર્યા, તેણે દસ ઉપવાસ કર્યા. પરંતુ અપવાસ કર્યા છે ઉપવાસ નહીં.
ઉપવાસ તો શુભભાવથી રહિત ભગવાન આનંદની ઉપ નામ સમીપમાં વાસ કરવો તેનું નામ ઉપવાસ છે. આહાહા ! તેનું નામ તપશ્ચર્યા છે. અંદર શુદ્ધ સ્વરૂપમાં વાસ કરવો તે વાસ્તુ છે. ઘરમાં વાસ્તુ કરવું. ઘરમાં વાસ્તુ કરવું. પરંતુ કદી કર્યા જ નથી. આવા શુદ્ધોપયોગને ધર્મ કહે છે. બાકી શુભભાવને તો અધર્મ કહે છે.
કહ્યું હતું ને! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહીં. અને બીજું એ કહ્યું હતું કે પંચમહાવ્રત તે આસ્રવ છે ધર્મ નહીં. આ વાત સંપ્રદાયમાં કહી હતી. પાંચ મહાવ્રતના ભાવ એ ધર્મ નહીં. પરંતુ આસ્રવ છે. તત્ત્વાર્થ સૂત્રમાં તેને આસ્રવ પુણ્ય કહ્યાં છે. સમજમાં આવ્યું?
લોકોને ખબર નથી કે- (સાચી) શ્રદ્ધા શું છે? કેટલાક એમ કહે કે- ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે. કેમ કે એ સાધન છે. અહીં કહેએ ધૂળમાંય સાધન નથી. સાંભળ તો ખરો ! બપોરના સાધનનો અધિકાર અર્થાત્ કર્મ શક્તિ આવશે.
શુદ્ધાણીના પેટે ઊપજ્યો છે, શુદ્રનો પ્રતિપાલિત થયો છે, એવો જીવ મદિરાથી અવશ્યમેવ (નિત્યં ત્રાતિ) નિત્ય સ્નાન કરે છે.” જે મદિરાને અડે છે સ્નાન કરે છે તે શું જાણીને પીવે છે? “સ્વયં શૂદ્ર તિ:”સ્વયં શુદ્ર છું, અમારા કુળમાં મદિરા યોગ્ય છે” એવું જાણીને, આવો જીવ, વિચાર કરતાં, ચંડાળ છે.”
| ભાવાર્થ આમ છે કે- કોઈ મિથ્યાદેષ્ટિ જીવ અશુભ ઉપયોગી છે, ગૃહસ્થ ક્રિયામાં રત્ છે”- અમે ગૃહસ્થ, મને વિષય-કષાય ક્રિયા યોગ્ય છે.” એવું જાણીને વિષય-કષાય સેવે છે.”
આ અગાઉ પહેલાં શુભોપયોગ લીધું હતું. અને ત્યાં મુનિ લીધું હતું. અહીં અશુભોપયોગમાં ગૃહસ્થ લીધા છે. શું કહે છે? વિષય-કષાયને સેવવા એ તો અશુભભાવપાપભાવ છે. “તે જીવ પણ મિથ્યાદેષ્ટિ છે, કર્મ બંધ કરે છે, કેમ કે કર્મ જનિત પર્યાયમાત્રને પોતારૂપ જાણે છે.”
શું કહે છે? આ શુભ-અશુભભાવ જે અસંખ્ય પ્રકારના છે તે કર્મજનિત છે. તે કર્મના નિમિત્તને આધીન થઈને ઉત્પન્ન થાય છે... પરંતુ કર્મથી નહીં. કર્મને આધીન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com