________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨
કલશામૃત ભાગ-૩ સંસાર છે. આહાહા ! આ શુદ્ધચૈતન્ય સ્વરૂપ એકરૂપ વસ્તુ તેનો અનુભવ કરવાથી પર્યાયમાં પણ શુદ્ધતા, એકરૂપતા, નિર્વિકલ્પતા પ્રગટ થાય છે. તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
તેના નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે,” પહેલાં કહ્યું હતું ને... કે વસ્તુને શુદ્ધ કહો, ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, ઈશ્વર કહો ચિદાનંદ કહો, સમ્યગ્દર્શન કહો, સમ્યકજ્ઞાન કહો.... જે કહો તે એક જ વસ્તુ છે તેણે
ક્યારેય પોતાના ચૈતન્ય સ્વરૂપનું લક્ષ કર્યું જ નથી. જે પુણ્ય-પાપના ભાવ આત્મામાં છે નહીં તેમાં પોતાની રુચિ કરીને ચાર ગતિમાં પરિભ્રમણ કર્યું. તો કહે છે કે-પરિભ્રમણ જેને મટાડવું હોય અને વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન નિર્વિકલ્પ શુદ્ધ એકરૂપ છે. તેની ઉપર દૃષ્ટિ લગાવો.
વસ્તુના સ્વભાવથી જે વિપરીતરૂપ ભાવ અનાદિકાળથી છે તેનાથી હુઠીને શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ પવિત્ર એકરૂપ તે ઉપર દૃષ્ટિ લગાવ તો તારું કલ્યાણ થશે. એવી વાત છે. વસ્તુ તો એકરૂપ છે- નામ અનંત કહો પરંતુ વસ્તુ તો શુદ્ધ ચિદાનંદ નિર્વિકલ્પ વસ્તુ છે અને તેની દૃષ્ટિ પણ નિર્વિકલ્પ વસ્તુ અર્થાત્ સમ્યગ્દર્શન પણ નિર્વિકલ્પ વસ્તુ છે. તેના ગમે તેટલા નામ કહો તે લાગુ થઈ જાય છે.
“કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા? “નિમૃતૈ: સ્વયં માસ્વાદ્યમાન:” નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. નિમૃત- નિશ્ચલ. ચિંતા કર્યા વિનાના. નિશ્ચિંન્ત પુરુષો એટલે જ્ઞાની પુરુષો દ્વારા સ્વયં અનુભવશીલ છે. કાલે (પરમ અધ્યાત્મ તરંગિણી) માંથી બતાવ્યું હતું ને કે- “ધ્યાન વિષયી ક્રિયમાણ:' તેવો શબ્દ છે. આસ્વાદ્યમાનનો અર્થ- વસ્તુ ત્રિકાળી પરમાત્મા મહાનિધાન ઉપર દૃષ્ટિ દેવાથી.... ધ્યાનની પર્યાયને “ધ્યાનવિષયી રિયા:' એ ચીજનું ધ્યાન કરવાથી (નિર્વિકલ્પતા પ્રગટે છે.) રાગ અને પુણ્ય-પાપનું ધ્યાન તો તેણે અનંતકાળથી કર્યું છે.
આહાહા ! એ ભગવાન આત્માનું “ધ્યાન યિમાન' ધ્યાન કરતો થકો, અર્થાત્ ધ્યાનમાં તેને વિષય બનાવતો થકો.“નિમૃતૈ: સ્વયં સાધમાન:” વિકલ્પની ચિંતાથી રોકાઈ ગયું છે જેનું જ્ઞાન અને “નિમૃત:’ સ્વયં પોતાનાથી આસ્વાદ્યમાન છે. ત્યાં રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહીં. સ્વયં આસ્વાદ્યમાન છે અર્થાત્ પોતાનું સ્વરૂપ પોતાથી સ્વાદ કરવા લાયક છે- અનુભવ કરવા લાયક છે એમ કહે છે. આવી વસ્તુ છે. લોકોને ઝીણી પડે ને... પરંતુ મારગ તો આ જ છે ભગવાન.
આખો ચિબ્રહ્મ પડ્યો છે. પરમાત્મા બ્રહ્મ નામ જ્ઞાન અને આનંદ સ્વરૂપ. ચિહ્નાન ને આનંદ સ્વરૂપ છે તે ત્રિકાળ છે- તે તરફનું ધ્યાન કરવાથી, તે તરફનું લક્ષ બનાવવાથી, તેનો આશ્રય લેવાથી, રાગ અને પર્યાયનું લક્ષ અને આશ્રય છોડવાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com