________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૬
૨૧૯ હતો. ચાકરી કરતાં-કરતાં તેને ઈંડા પણ લાવી દીધાં. નાના ભાઈને ખબર નહીં કે- આ ઈંડા છે. બધું ભેગું કરી ઈડા નાખીને આપ્યું. પછી મોટો ભાઈ મરીને નરકમાં ગયો અને નાનાભાઈના પરિણામ થોડા ઠીક રહ્યા તો તે મરીને ત્યાં પરમાધામીદેવ થયો. જ્યારે પરમાધામી નારકીને મારે છે ત્યારે નારકીને ખ્યાલ આવ્યો કે- ભાઈ માટે પાપ કર્યું હતું. પછી તેણે કહ્યું- ભાઈ ! મેં તારા માટે પાપ કર્યું હતું અને તું મને મારે છે? ત્યારે નાના ભાઈનો જીવ કહે કે- તને કોણે કહ્યું હતું પાપ કર? મેં કહ્યું હતું પાપ કરવાનું?
તેમ પોતાના છોકરા માટે બાયડી માટે પાપ કરે. એ લોકોને બિચારાંને કાંઈ ખબર પણ ન હોય. તેના પરિણામ રીતસરના હોય તો પરમાધામી થઈ જાય. અને પેલો મરીને નરકમાં જાય. પછી કહે– મને ખબર નથી. તો અમે તને કીધું તું કે –તું માંસ આપ, માછલાં આપ, ઈંડા આપ? તે પાપ કર્યું છે તો ભોગવ તું!
શ્રોતા:- અમારે શું સમજવું?
ઉત્તર- સમજી લ્યો તમારે જે સમજવું હોય તે. અહીં તો પરમાત્મા કહે છે પ્રભુ! જ્યાં સુધી રાગ સહિતપણું પોતાનું માન્યું ત્યાં સુધી અશુદ્ધ પરિણમન હતું. ત્યાં સુધી અશુદ્ધતાનું કર્તાકર્મ હતું. પરંતુ જ્યારે આત્મા જ્ઞાયક છે, અશુદ્ધ પરિણામ ક્ષણિક-વિકૃત છે, અને અવિકારી મારી ચીજ છે તેવી સત્યાર્થની દૃષ્ટિ થઈ, પહેલાં અસત્યાર્થ હતું, હવે સત્યાર્થની દૃષ્ટિ થઈ તો શુદ્ધ પરિણમન રહ્યું. અશુદ્ધ છે પરંતુ તેનો જ્ઞાતા દેષ્ટા રહીને શુદ્ધ પરિણમન છે. આવો મારગ છે ભગવાન! અત્યારે તો એવો બગાડી માર્યો કે- ચોર કોટવાલને દંડે એવું થયું. ઝાઝા ચોર હોય તો કોટવાળને મૂંઝવે.
અશુદ્ધ પરિણામ મટે છે એમ કહ્યું ને! સમ્યક્ થયું તો બિલકુલ અશુદ્ધ પરિણામ થતા જ નથી ? થાય છે પરંતુ તેનો જ્ઞાતા રહે છે. હવે તે શુદ્ધ પરિણામનો કર્તા છે. અશુદ્ધ પરિણામ થાય છે- પરિણમન થાય છે પરંતુ જ્ઞાની તેને પોતાનું ન માનીને તેનો જ્ઞાતા રહે છે. તો જ્ઞાતા-દષ્ટાના પરિણામ શુદ્ધ છે. રાગાદિ અશુદ્ધ છે તો અશુદ્ધતાનો જ્ઞાતા રહે છે. અશુદ્ધતાનો કર્તા થતો નથી.
*
*
*
( રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स वचित्।। ५१-९६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com