________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬
કલશામૃત ભાગ-૩ અહીં તો અત્યારે એ લેવું છે કે અજ્ઞાની રાગદ્વેષનો કર્તા તો ખરો પરંતુ તે રાગદ્વેષ અને મિથ્યાત્વરૂપે પરિણમે છે છતાં તે કર્મબંધનની પર્યાયનો કર્તા તે રાગદ્વેષ મિથ્યાત્વ થતાં નથી.
તો પછી આ વેપાર ધંધાને કોણ કરે છે? દુકાનને થડે-ગાદીએ બેઠો હોય અને આમ કરો; તેમ કરો; પૈસા લાવો એ ક્રિયાને આત્મા ત્રણકાળમાં કરી શકતો નથી એમ કહે છે.
પ્રશ્નઃ- વેપાર ધંધાને બંધ કરવા?
ઉત્તર:- તે (વેપાર ધંધાનો) કર્તા ક્યાં હતો કે તે બંધ કરે? તેને તે કરી શકતો જ નથી તો પછી બંધ કરવું તે ક્યાં રહ્યું? બંધ કરવાનું તો એ રહ્યું કે- પરની પર્યાયનો કર્તા હું નથી અને મારા રાગદ્વેષનો કર્તા હું છું. હવે રાગદ્વેષ તે મારી ચીજ નથી કેમ કે હું તો જ્ઞાતાદેષ્ટા છું એમ કહેવું છે. આવી વાતું છે.
હવે તે લોકો કહે કે- વૈયાવૃત કરવી, પરની દયા કરવી. વૈયાવૃત કરવાનો શુભભાવ હો. પણ તે પરની સેવા કરી શકે તેમ નથી. એનાં રાગદ્વેષ તે પરદ્રવ્યની પર્યાયને કે કર્મપિંડની પર્યાયને કરે એમ નથી. કર્મપિંડની પર્યાય રાગદ્વેષને કરે નહીં અને રાગદ્વેષની ક્રિયા પરને કરે નહીં. કર્મ-પિંડમાં મિથ્યાત્વ રાગદ્વેષ પરિણામ નથી અને મિથ્યાત્વ રાગદ્વેષ પરિણામમાં કર્મપિંડ નથી. પ્રભુનો મારગ આવો છે ભાઈ. અને લોકો બીજે રસ્તે ચઢી ગયા અને એમ માને કે- અમે ધર્મ કરીએ છીએ. અરેરે! જન્મ મરણના અંત લાવવાની ચીજ છે તેને સમજે નહીં.
અહીંયા તો હજુ પરદ્રવ્યની પર્યાયનો કર્તા માને તે તો બહુ સ્થળ મિથ્યાત્વ છે. પોતાના રાગનો કર્તા માને જાણે તો પણ મિથ્યાત્વ છે. અહીં તો એ વાત લેવી છે કેમિથ્યાત્વ અને રાગદ્વેષને તો અજ્ઞાની કરે છે પોતાની પર્યાયમાં. પોતાના અસ્તિત્વ સંબંધી ભ્રાંતિથી અજ્ઞાની ભ્રમણા અને રાગદ્વેષને પોતાની પર્યાયમાં કરે છે. પરંતુ જે કર્મબંધનની પર્યાય થાય છે તેમાં તે રાગદ્વેષ અજ્ઞાન ત્યાં છે નહીં તો તે કર્મબંધની પર્યાયને કેવી રીતે કરે ? સમજમાં આવ્યું? ભારે આકરી વાતું છે.
એ તો પાંચ સાત વર્ષ પહેલાં ઈદોરમાં પચાસ પંડિતો એકઠાં (એકત્રિત) થયા હતા. તેમાં રાત્રિના એક પંડિતે ભાષણ કર્યું કે પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર જૈન નહીં. અરે
ભગવાન તારે શું કહેવું છે? વાત તો એ જ કે- સોનગઢની સામે વિરોધ કરવો. ભગવાન તને એ શોભતું નથી. નાથ ! તું કોણ છો? તું તો જ્ઞાનાનંદ સહજાનંદ મૂર્તિ છો ને પ્રભુ! તારા સ્વરૂપને ભૂલીને... પરમાં સુખ છે અને રાગથી ધર્મ છે તેવો મિથ્યાત્વભાવ કરવો એ પણ તારી શોભા નથી. તો પછી અજ્ઞાનભાવે પરનું કરી શકે- આ લાકડી ઊંચી-નીચી થતી હોય તેને આત્મા કરી શકે, તેમ છે નહીં. આ જે દાળ-ભાત-શાક બને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com