________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
કલશામૃત ભાગ-૩ તત્ત્વ એટલે ચૈતન્યમૂર્તિ ભગવાન તેના આનંદ તત્ત્વને વેદવાવાળો વીતરાગભાવને વેદવાવાળો તે પક્ષાતિક્રાંત થઈ ગયો. આહાહા ! વીતરાગી વેદવાવાળો તે તત્ત્વવેદી પક્ષાતિક્રાંત થઈ ગયો. જે તત્ત્વવેદી છે તે પક્ષપાત રહિત છે. નિરંતર ચિત્તસ્વરૂપી છે. ચુતપક્ષપાત શબ્દ છે ને! ત્યાં રહિત કહ્યો. પક્ષપાતથી ટ્યુત થયો. ભષ્ટ થઈ ગયો.
શ્રોતા:- શુદ્ધભાવ તેના વિકલ્પથી રહિત તેમ!
ઉત્તરઃ- પોતાનો ભગવાન આનંદ સ્વરૂપ છે. તેના અનંતગુણની અનંતી વ્યક્ત પર્યાયને વેદવાવાળો તત્ત્વવેદી. તત્ત્વવેદી એટલે તત્ત્વ નામ ભગવાન આત્મા, તેની અનંત શક્તિઓ અમાપ શક્તિઓ. અમાપ શક્તિ અને તેનું એક એક શક્તિનું અમાપ સામર્થ્ય. તેનું પર્યાયમાં એક અંશ વ્યક્તરૂપ પ્રગટ વેદનાર. આહાહા ! દ્રવ્ય ને ગુણ તો વેદનમાં આવતા નથી.
આહાહા ! તત્ત્વવેદી પક્ષપાતથી નિરંતર ચુત છે. નિરંતર અર્થાત્ અંતર વિના. ચિત્ત સ્વરૂપ જીવ છે તે ભગવાનના આનંદનું વદન નિરંતર. અંતર પડ્યા વિના કરે છે. આહા ! વચ્ચે વિકલ્પનું વિશ્ન આવ્યા વિના તે નિરંતર છે ને? “નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ” અર્થાત્ જ્ઞાનસ્વરૂપી જીવ તો જ્ઞાનસ્વરૂપી છે. આહાહા! જ્ઞાન જ્ઞાનને જાણે છે એવો ભેદ પણ જેમાં નથી. આહા! એ તો ચિત્તસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ એ તો જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. બાકી સર્વ ગુણ સંપન્ન પ્રભુ છે. ગુણ સંપન્ન જ સ્વરૂપ હોય છે.
આહા ! સમ્યગ્દર્શનનો વિષય અને સમ્યગ્દર્શન પર્યાય વેદન (આટલું છે). સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય પૂર્ણાનંદનો નાથ છે. એના વેદનમાં પર્યાય છે, વેદનમાં દ્રવ્ય- ગુણ નથી આવતા. દ્રવ્ય- ગુણનું જ્ઞાન થાય છે પરંતુ વેદનમાં તો તે એક સમયની પર્યાયને વેદે છે.
પ્રશ્ન:- શુદ્ધ પર્યાયને વેદે છે એટલે શું?
ઉત્તર- પર્યાયને વેદે છે એટલે અનુભવે છે. અલિંગગ્રહણમાં જે વીસ બોલ છે તેમાં આવ્યું છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય તેને અડ્યા વિના આત્મા શુદ્ધ પર્યાય સ્વરૂપ છે. કેમ કે અમને વેદનમાં પર્યાય આવે છે બસ. ભલે ધ્રુવનું લક્ષ કર્યું હોય પરંતુ ધ્રુવ વેદનમાં આવતો નથી, વેદન પર્યાયનું છે.
શું કહ્યું? પ્રત્યભિજ્ઞાનનું કારણ ત્રિકાળી દ્રવ્ય સામાન્ય છે તે સામાન્યને સ્પર્યા વિના વર્તમાન પોતાની નિર્મળ પર્યાયને વેદે છે. તો આત્મા એ શુદ્ધ પર્યાય સ્વરૂપ જ છે એમ કહે છે. દ્રવ્ય- ગુણ નહીં. પરંતુ અમને તો વેદનમાં આવ્યો તે આત્મા બસ.
૧૮માં બોલમાં એમ કહ્યું કે- ગુણીમાં ગુણ વિશેષનું ગ્રહણ જેમાં નથી. અર્થાવબોધરૂપ ગુણ વિશેષનું જેમાં ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. ભગવાન અનંત ગુણમયી છે. આનંદ આદિ અનંત ગુણ છે. એવા પદાર્થનું જ્ઞાન તે અર્થાવ બોધરૂપ જેમાં ગુણભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com